મુસ્તાક દલ/જામનગર :મધ્યરાત્રિથી સવાર સુધીમાં જામનગર (Jamnagar) માં પણ અવિરત વરસાદ રહ્યો છે. સવારથી બે તાલુકામાં વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જામજોધપુર તાલુકામાં પણ 1 ઇંચથી વધુ વરસાદ (heavy rain) નોંધાયો છે. જામનગર જિલ્લામાં ચાલુ સીઝનનો અત્યાર સુધી 125% વરસાદ નોંધાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપરવાસમાં વરસાદને પગલે જામનગરના ડેમ છલકાયા છે. જામજોધપુર તાલુકાના મેલાણ ગામનો વેણું વનાણા ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના મેલાણ, કડબાલ, કોટડા બાવીસી, ગીન્ગણી, સીદસરના ગ્રામજનોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરાઇ છે.


આ પણ વાંચો : આગામી એક કલાક ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે પૂર જેવા વરસાદની છે આગાહી 


ધ્રોલ તાલુકાના માજોઠ ગામનો ઉન્ડ-2 ડેમ ઉપરવાસમાં વરસાદને કારણે નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયો છે. જેથી ડેમના 5 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી ડેમ હેઠવાસના માજોઠ, આણંદા, બાદનપર, ભાદરા, જોડિયા, કુન્નડના ગ્રામજનોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરાઇ છે. 


આ પણ વાંચો : કોણ છે કાનજી મોકરિયા, જેણે વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસમાં બધા વટાણા વેરી દીધા 


જામજોધપુર તાલુકામાં ઉમિયા સાગર ડેમ ઉપરવાસમાં વરસાદને કારણે નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયો છે. ડેમના 6 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. સીદસર, હરીયાસણ, ખારચીયા, રાજપરા, રબારીકા, જારના ગ્રામજનોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરાઇ છે.