ઝી મીડિયા/બ્યૂરો :વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કર્ફ્યૂ (Janta Curfew) ની અપીલને ગુજરાતીઓએ માની છે. ગુજરાત સજ્જડપણે બંધ જોવા મળી રહ્યું છે. અમદાવાદભરમાં જનતા કર્ફ્યૂની અસર જોવા મળી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓની દુકાનો ઉપરાંત લગભગ તમામ દુકાનો લોકોએ સ્વેચ્છાએ (#GujaratJageCoronaBhage) બંધ રાખી છે. જે બતાવે છે કે, લોકોમાં અવેરનેસ છે. રોજેરોજ ટ્રાફિકથી ધમધમતા અમદાવાદના વિસ્તારો પ્રહલાદનગર, વસ્ત્રાપુર, નવરંગપુરા, એસજી હાઈવે, થલતેજ, શ્યામલ ચાર રસ્તા જેવા રસ્તાઓ સૂમસાન લાગી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#GujaratJageCoronaBhage : ગુજરાત સજ્જડ બંધ, લોકોએ જનતા કરફ્યુનું ચુસ્તપણે પાલન કર્યું


સેવા બંધ રહેતા તંત્રએ કરી સાફસફાઈ શરૂ કરી
અમદાવાદમાં કોરોના વાઈરસને પગલે જનતા કર્ફ્યૂનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. ગીતા મંદિર એસટી સ્ટેન્ડ સંપૂર્ણ બંધ છે. તમામ બસને વિવિધ ડેપોમાં મોકલી દેવાઈ છે. મુસાફરોથી ધમધમતા સ્ટેન્ડ પર સન્નાટો છવાઈ ગયો છે. સેવા બંધ રહેતા તંત્રએ કરી સાફસફાઈ શરૂ કરી છે. એસ.ટી સ્ટેન્ડ બહાર લોકોની સામાન્ય અવરજવર જોવા મળી રહી છે. 


બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનો બંધ
ગુજરાતમાં એસટી બસો પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જેને પગલે અમદાવાદનું એસટી બસસ્ટેન્ડ તથા રાણીપ બસ સ્ટેન્ડ પણ ખાલીખમ થઈ ગયું છે. રેલવે સ્ટેશન પર પણ એવો જ નજારો છે. બસ તથા રેલવે બંધ થવાથી કેટલાક મુસાફરો અટવાઈ પડ્યા છે. અમદાવાદમાં જાહેર પરિવહન સેવાઓ સંપૂર્ણપણે બંધ છે. જનતા કરફ્યૂને લઈને એએમટીએસ અને બીઆરટીએસ બસો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે શનિવારે સાંજથી જ બીઆરટીએસ બસ સ્ટેશનો બંધ કરી દેવાયા હતા. જેને પગલે આજે બીઆરટીએસ સ્ટેશનો પણ ખાલીખમ દેખાઈ રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...