Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. તેમ છતાં અનેક પાર્ટીમાં ટિકિટ કપાતા રિસામણા અને મનામણા જોવા મળી રહ્યા છે. ગુજરાત કોગ્રેસે બાયડ ખાતે ટિકિટ ન આપતા જસુભાઇ પટેલ નારાજ થયા હોવાની માહિતી મળી હતી. પરંતુ બાદમાં તેમણે જણાવ્યું હતું કે, હું લોકસેવા અને સમાજ સેવા કરીશ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાયડની ટીકીટ કપાયા બાદ જસુભાઈ પટેલે એક મોટું નિવેદન આપ્યું છે. જસુભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાયડ બેઠકમાં ટીકીટ ના મળતા મને કોઇ મન દુઃખ નહીં. લોકસેવા એ મારો સિદ્ધાંત છે. પાર્ટી એ મને ઓળખ્યો નહીં અથવા મારી કોઈ ભૂલ હશે. પાર્ટીએ ગોટાળા કરવાવાળા અથવા ચોખટા ગોઠવવા વાળા અને વેપાર કરવા વાળાને ટીકીટ આપી છે. પરંતુ મારી લોકસેવા એ જ રણનીતિ હશે. કોંગ્રેસમાં રહેવું કે ના રહેવું એ આગળ જોઈશું. 


ઉલ્લેખનીય છે કે, આજે 14 જિલ્લાની 93 બેઠકો પર બાકીના ઉમેદવારો ફોર્મ ભરશે. બીજા તબક્કા માટે બુધવાર સાંજ સુધીમાં અંદાજીત 900થી વધુ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારે દરેક પાર્ટીમાં અનેક નેતાઓની ટિકિટ કપાતા નારાજગી ચાલી રહી છે. આજે બાકીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે. 


આ પણ વીડિયો જુઓ:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube