Swaminarayan : ખેડા જિલ્લાના કઠલાલ ખાતે ગતરોજ રવિવારે સાંજે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મ સેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સાધુ સંતો સહીત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ દીક્ષાંત સમારોહમાં નૌતમ સ્વામી પ્રવચન પૂર્ણ કરી જયશ્રી રામના નાર લગાવતાં એ દરમિયાન અચાનક જ સ્ટેજ પરથી ઢળી પડ્યા હતા. જોકે આસપાસના લોકોએ જીલી લેતા મોટી ઘાત ટળી હતી. આ બાદ તુરંત સ્વામીના સ્વાસ્થ્યમાં સુધારો આવતા હાલ સ્વસ્થ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડા જિલ્લાના કઠલાલ શહેરમાં આવેલ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ગતરોજ રવિવારે સાંજે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મ સેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કઠલાલ શહેર અને તાલુકાના 700 થી વધુ કાર્યકરો જોડાયા હતા. આ અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિન્દુ ધર્મ સેનાના પદ નિયુક્તિ કાર્યક્રમમાં અધ્યક્ષ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ અને વડતાલ ધામન નૌતમ સ્વામી, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે નિવાસદાસજી મહારાજ, રામેશ્વરદાસજી મહારાજ, અનિરુદ્ધગિરી મહારાજ પણ હાજર રહ્યા હતા.


ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ બદલાશે છે કે નહિ... ચર્ચાઓ વચ્ચે આવી મોટી ખબર


 


બનાસકાંઠા અકસ્માતમા મોતને ભેટનાર પોલીસ બાતમીદાર નીકળ્યા, દારૂની ગાડીનો પીછો કરતા હતા


આ બનાવ સંદર્ભે જિલ્લાના પ્રમુખ રાજન ત્રીપાઠીએ જણાવ્યું હતું કે, ઘટના સાચી છે અને કાર્યક્રમના આગળના દિવસે તેમનો જન્મ દિવસ હતો જેથી કામનુ ભારણ હોવાથી આમ થયું હતું. જોકે હાલ સ્વામીની તબિયત સ્વસ્થ છે એ સમયે તુરંત મોરસનો ફાંકો મારી લેવાયા બાદ તુરંત સ્વસ્થ થઈ ગયા હતા.


ગુજરાતે આજે નવો ઈતિહાસ રચ્યો : સિંગાપોરને બદલે ગાંધીનગરની ગિફ્ટ સિટીથી થશે ટ્રેડિંગ