રાજેન્દ્ર ઠક્કર, ભૂજ: પાંચમી જૂનના વિશ્વ પર્યાવરણ દિન (World Environment day) ની સમગ્ર વિશ્વમાં ઉજવણી થાય છે. ભારતીય સંસ્કૃતિ પણ પર્યાવરણ સાથે જોડાયેલી છે. કચ્છ (Kutch) માં ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદનું પ્રમાણ ઘટતું રહ્યું છે ત્યારે ભુજ (Bhuj) તાલુકાના કુનરીયા (Kunariya) ગામના લોકો દ્વારા છેલ્લા 4 વર્ષથી વૃક્ષો દ્વારા વરસાદની ખેંચી લાવવા માટેનું એક સામૂહિક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુનરીયા (Kunariya) ગામમાં 4 વર્ષમાં 70 હજાર વૃક્ષો ઉછેર કર્યા બાદ હવે પર્યાવરણ જતન માટે પંચવટી બનાવી વધુ 1000 વૃક્ષઓ ઉગાડવામાં આવ્યા છે. આ વખતે ઇકો સિસ્ટમ (Eco System) રિસ્ટોરેશનમાં 4 વર્ષ કરેલી કામગીરીમાં વૃક્ષઓના કારણે જે ફેરફાર થયા છે એ અંગે માહિતી સાથે માર્ગદર્શન પણ અપાયુ હતું.


કુનરીયા  (Kunariya) ગ્રામ પંચાયત દ્વારા આજે ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન અંતર્ગત 1000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તથા છેલ્લાં 4 વર્ષમાં વૃક્ષોને કારણે પર્યાવરણમાં થયેલ ફેરફાર અંગે સરપંચ દ્વારા માહિતી તથા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, સરકારી અને ખાનગી ઓફિસો ધમધમશે, અમદાવાદમાં દોડતી થશે AMTS અને BRTS


આ ઉપરાંત આગામી સમયમાં વધુને વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે, ગામના તળાવોનું બ્યુટીફીકેશન કરવામાં આવશે તથા Bird Watching Tower ઉભુ કરવામાં આવશે. આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ અંગેના કાર્યક્રમો પણ કરવામાં આવશે. ઉપરાંત વન્યજીવ સંરક્ષણ તથા પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત કરવા પગલાં લેવાશે.

કુનરીયા (Kunariya) ગામ પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ એક્ટિવ છે અને અહીં સરપંચ દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં આ કોરોનાની મહામારીમાં લોકોને પર્યાવરણ તથા વૃક્ષારોપણનું મહત્વ સમજાઇ રહ્યું છે અને તે આવનારી પેઢી માટે ખૂબ લાભકારી રહેશે.


કુનરીયા (Kunariya) ગામમાં છેલ્લા 4 વર્ષથી 70,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેના કારણે ગામમાં પર્યાવરણીય ફેરફારો થયા છે અને વૃક્ષોના લીધે જ ગામમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે ઉપરાંત વિવિધ પ્રજાતિના પશુ પક્ષીઓ પણ અહીં જોવા મળી રહ્યા છે અને આગામી સમયમાં વધુ વૃક્ષો વાવવામાં આવશે અને પ્લાસ્ટિક પોલ્યુશન દૂર કરવા માટેના પગલાં પણ લેવામાં આવશે.

ગુજરાતની આ હોસ્પિટલમાં માત્ર 5 મિનિટમાં જ મળે છે કોરોનાના દર્દીનો HRCT રિપોર્ટ


કુનરીયામાં 70000 જેટલાં વૃક્ષો વાવવાથી ગામમાં વૃક્ષોને કારણે વરસાદનું આગમન થયું હતું ગત વર્ષે આજુબાજુના 10 ગામમાં વરસાદ પડ્યો ન હતો. પણ અહીં વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત વૃક્ષોના લીધે વરસાદ આવવાથી ગામમાં 9 જેટલા પાણીના સ્ત્રોતો પુનઃ જીવિત થયા હતા. અહીં વૃક્ષોની સંખ્યા વધી જવાથી વિવિધ જાતના પશુ- પક્ષીઓ પણ આ વનમાં આવતા થયા છે.


આ પંચવટી વનના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક, નાયબ વન સંરક્ષક, સહાયક વન સંરક્ષક, ગામના સરપંચ તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કોરોનાની ગાઇડલાઈન સાથે એક ઉત્સવ તરીકે ઉજવાયું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube