કચ્છ: કચ્છના મુંદ્વા નજીક એરફોર્સનું પ્લેન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ પ્લેન બેરાજા ગામ પ્લેન ક્રેશ થતાં પ્લેનના ટૂકડે ટૂકડા થઇ ગયા છે. પ્લેન ક્રેશ થતાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે પાયલોટ કૂદકો મારી બચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પાયલોટનું મોત નિપજ્યું છે. જોકે સમગ્ર ઘટનાની જાણકારી મળતાં જામનગરની એરફોર્સ ટીમ અત્યારે ઘટનાસ્થળે જવા માટે રવાના થઇ ગઇ છે. આ ઉપરાંત મુંદ્વા પોલીસ સહિતનો કાફલો રવાના થઇ ગયો છે. 
કચ્છના મુંદ્વા નજીક પ્લેન ક્રેશ થતાં થયા ટૂકડે-ટૂકડા 


સામાન્ય રીતે આ ટ્રેનિંગ બેઝનું પ્લેન હોય છે જેથી તેમાં સવારો હોતા નથી માત્ર પાયલોટ જ હોય છે. મળતી માહિતી મુજબ સમય સૂચકતાં વાપરી પ્લેન ક્રેશ થતાં પાયલોટ પ્લેનમાંથી કૂદકો મારીને કૂદી પડ્યો હતો. પરંતુ પાયલોટનું મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્લેન રહેલા બ્લેક બોક્ષ દ્વારા સમગ્ર ઘટના વિશે માહિતી જાણી શકાશે.