રાજેન્દ્ર ઠક્કર, ભૂજ: કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાનું આજે ભુજ (Bhuj) ની એકોર્ડ હોસ્પિટલ ખાતે શારીરિક બીમારીની સારવાર દરમ્યાન 85 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી સમગ્ર કચ્છ (Kutch) પંથક સાથે દેશના રાજ પરિવારમાં દુઃખની લહેર ફેલાઈ છે. કચ્છ પ્રત્યેના તેમના સદકાર્યો અને લાગણી સદા લોકોના મનમાં યાદ બની રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છ રાજ્યના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાનું 85 વર્ષની વયે ભુજના રણજીતવિલાસ પેલેસમાં નિધન થયું છે. મહારાવશ્રી લાંબા સમયથી પ્રોસ્ટેટ કેન્સર (Canser) થી પીડિત હતા. કેન્સર અને તેની દવાઓની આડ-અસરથી તેમનું નિધન (Death) થયું હોવાનું તેમના વારસદાર કુંવર ઇંદ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડાંક સમય અગાઉ મહારાવ કોરોનાથી પણ સંક્રમિત થતા તેમની તબિયત વધુ લથડી હતી.

કોરોના સંક્રમિતોની સારવારમાં રાજકોટના યુવાઓનું યોગદાન બનશે ઉપયોગી, તૈયાર કર્યું પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટર


અલગ કચ્છ રાજ્યના પ્રખર હિમાયતી રહેલાં મહારાવ તેમની પાછળ ધર્મપત્ની પ્રીતિદેવી અને ત્રણ વારસદારોને વિલાપ કરતાં મૂકી ગયાં છે. આજે બપોરે 12થી 1 કલાક દરમિયાન તેમના નશ્વર દેહને રણજીતવિલાસ પેલેસ ખાતે અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજપરિવારના સ્મશાન છત્તરડી ખાતે રાજ પરંપરા અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના નિધનના સમાચાર જાણીને કચ્છભરના અનેક આગેવાનો અને સમાજો દ્વારા તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. 


15 ઑગસ્ટ 1947ના રોજ ભારત જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું હતું ત્યારે દેશ અલગ અલગ રજવાડાઓમાં વહેંચાયેલો હતો. જેને એક કરવા સરદાર વલ્લભભાઈ પટેલે બીડું ઝડપ્યું હતું. દેશ સ્વતંત્ર થયો ત્યારે કચ્છના તત્કાલિન રાજવી વિજયરાજજી લંડનમાં સારવાર મેળવતાં હતા. તેમના હુકમથી તેમના પુત્ર મદનસિંહજીએ 16 ઑગસ્ટ 1947ના રોજ કચ્છ રાજ્યના ભારતમાં વિલિનીકરણ પર સહી કરી હતી. તે સમયે કચ્છનો ‘ક’ વર્ગના રાજ્ય તરીકે ઉદય થયેલો. જેનું સંચાલન કેન્દ્રીય સરકારથી કરવામાં આવતું હતું. પાછળથી કચ્છને ગુજરાત રાજ્યના જિલ્લા તરીકે ભેળવી દેવાયેલું. 

દુઃખની વાત: 25 ફ્રન્ટલાઇન વોરિયર્સમાંથી માત્ર 4 ને મળી સહાય, કોરોનાનાકાળમાં રાત દિવસ કરતા હતા કામ


26 જાન્યુઆરી 1948ના રોજ વિજયરાજજીના નિધન બાદ મદનસિંહજી મહારાવ બન્યાં હતા. 17 ઓક્ટોબર 1991માં મદનસિંહજીનું નિધન થયું હતું. ત્યારબાદ ભુજના પ્રાગમહેલ પેલેસમાં ટીલામેડી વિધિ દ્વારા તેમના જ્યેષ્ઠ પુત્ર પ્રાગમલજી ત્રીજાને મહારાવ (હિઝ હાઈનેસ મહારાજધિરાજ મિર્ઝા મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા, સવાઈ બહાદુર, કચ્છ મહારાવ) તરીકે ઘોષિત કરાયાં હતા.1991માં મહારાવ તરીકે દરજ્જો મળ્યો હતો


મહારાવ પ્રાગમલજી ત્રીજાએ અજમેરની મેયો કોલેજ અને દહેરાદૂનની દૂન સ્કુલમાં શાળાકીય શિક્ષણ મેળવી દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. જીવનના પૂર્વાર્ધનો મોટાભાગનો સમય તેમણે મુંબઈ અને લંડનમાં વીતાવ્યો હતો. 

અમદાવાદીઓને મળી ૫૮૫ કરોડની ભેટ: સૌથી લાંબો ૩૫ KM નો ભવ્ય રિવરફ્રન્ટ અમદાવાદની શાન- શહેરની શોભા બનશે


જો કે, પાછળથી તેઓ મોટાભાગનો સમય કચ્છમાં ગાળતા હતા. મિલનસાર સ્વભાવ ધરાવતાં મહારાવ વર્ષોજૂની પરંપરાઓ સાથે આધુનિક પ્રગતિશીલ વિચારધારાના પણ પ્રોત્સાહક હતા. આઝાદી બાદ કચ્છને અનેક બાબતમાં થતાં અન્યાય બાબતે તેમણે અલગ કચ્છની માંગને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. 


તેમણે ભૂકંપમાં ધ્વસ્ત પ્રાગમહેલ અને આયના મહેલનું પુનઃનિર્માણની કામગીરી કરાવી હતી. રાજવી પરિવારના નામે ભુજમાં રણજીતવિલાસ પેલેસ, પ્રાગમહેલ, આયના મહેલ, શરદબાગ પેલેસ, માંડવીના વિજય વિલાસ પેલેસ, ચાડવા રખાલ સહિત અનેક ઐતિહાસિક સ્મારક અને વારસો છે.


મુંબઈમાં પણ મોટી મિલકત છે. આ મિલકતોની કિંમત કરોડોમાં આંબે છે. મહારાવશ્રીની સંપત્તિને લઈ ભૂતકાળમાં કૉર્ટ કેસ થઈ ચૂકેલાં છે. નિઃસંતાન મહારાવે છેલ્લે તેમની રાજ પરંપરાને આગળ ધપાવવા નલિયાના કુંવર ઇંદ્રજીતસિંહ જાડેજા, દેવપરના ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા અને તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજાને વારસદાર તરીકે નીમ્યાં હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કરી દુુુુુુુખની લાગણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છના રાજાબાવા પ્રાગમલજી ત્રીજાના નિધન બદલ દુઃખની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે સદગતના દિવંગત આત્માને પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. કચ્છના હિતની સદૈવ ચિંતા કરતાં મહારાવ રાજાબાવા પ્રાગમલજી ત્રીજાનું આજે 85 વર્ષની વયે દુઃખદ અવસાન બદલ મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube