Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના અંતિમ રાજા મહારાવ પ્રાગમલજી ત્રીજાની તિથિ મુજબની આજે જન્મ જયંતિ છે, ત્યારે દરબારગઢ ખાતે આવેલા પ્રાગમહલના આંગણામાં રાજાની 8 ફૂટ ઊંચી અને 450 કિલોની કાંસ્યની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બનાવવા માટે જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે સામગ્રીથી આ મૂર્તિ બનાવવામાં આવી છે, જે 500 વર્ષ સુધી અડીખમ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુજના દરબારગઢ ખાતે આવેલ 5 સદી પુરાણા પ્રાગ મહલ ખાતે કચ્છના અંતિમ રાજા પ્રાગમલજી ત્રીજાની જન્મજયંતિ નિમિતે તેમની મૂર્તિનું મહારાણી પ્રિતિદેવિના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે જ 500 વર્ષ જૂના રાણીવાસનું જે પુનઃસ્થાપન કરવામાં આવી રહ્યું છે, તેના પ્રથમ ચરણને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રાગ મહલના પટાંગણમાં લાખોના ખર્ચે રાજાની 8 ફૂટ ઊંચી, 3.5 ફૂટ પહોળી અને 2 ફૂટ લંબાઈની મૂર્તિ છ આજે સ્થાપિત કરવામાં આવી છે.


તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખુશખબર : સરકારે ખાસ સુવિધાની જાહેરાત કરી


મહારાવ પ્રાગમલજી ત્રીજાની આ કાંસ્યની મૂર્તિ મૂળ કચ્છના અને હાલ વડોદરા ખાતે શિલ્પકાર તરીકે પોતાની કલાકારી કરતા રુદ્ર ઠાકર દ્વારા બનાવવામાં આવી છે. આ મૂર્તિ અંગે માહિતી આપતા શિલ્પકારે જણાવ્યું હતું કે, આ મૂર્તિની ખાસિયતની વાત કરવામાં આવે તો આ મૂર્તિની વજન 450 કિલો જેટલું છે અને ખાસ કરીને તેનું આયુષ્ય છે, તે 500 વર્ષ જેટલું છે. જેમ આ મૂર્તિને ખુલ્લામાં મૂકવામાં આવશે તેમ તેની શોભા વધશે અને આયુષ્ય વધશે. આ મૂર્તિને બનાવતા 3 મહિના જેટલો સમય લાગ્યો હતો. તો આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં વપરાયેલ મટીરીયલમાંથી બનાવવામાં આવ્યું છે. જેને કોઈ પણ વાતાવરણમાં નુકસાની નહીં થાય. આ અગાઉ પણ શિલ્પકાર રુદ્ર દ્વારા મહારાવના નિવાસ સ્થાને તેમની મૂર્તિ બનાવવામાં આવી હતી, તો ભુજના આશાપુરા મંદિરમાં પણ એક યંત્ર તેના દ્વારા બનાવવામાં આવ્યું છે. 


અમદાવાદની સિવિલ હોસ્પિટલે રેકોર્ડ તોડ્યો, અત્યાર સુધીનું સૌથી વધુ રૂપિયાનુ દાન આવ્યુ


રાજકુંવર ઇન્દ્રજિતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ નરસિંહ જયંતિ છે અને મહારાવ પ્રાગમલજી ત્રીજાનો આજે તિથિ મુજબ જન્મદિવસ હતો અને જન્મદિવસના દિવસે 3 જી મેં 2021ના મહારાવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 25 દિવસ તેઓ હોસ્પિટલમાં હતા. પણ આપણે એમને તમામ પ્રયાસો ઉર્વા છતાંય અમર રાખી શક્યા ન હતા. ત્યારે મહારાણી સાહેબે નિર્ણય લીધો કે મહારાવે જે કામ કચ્છ માટે કર્યા છે તેના માટે એમની એક પ્રતિમા બધી જગ્યાએ હોવી જોઈએ. તો સૌથી પહેલું પ્રતિમા રણજીત વિલાસમાં નરસિંહ જયંતિ 2022માં સ્થાપિત કરવામાં આવી તો આજે 2023 માં દરબારગઢ ચોકમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત જન્માષ્ટમી 2023ના વિજયરાજ બાવાનો જન્મદિવસ છે ત્યારે માંડવીના વિજ્યરાજ પેલેસ ખાતે પ્રાગમલજી ત્રીજા અને વિજયરાજ બાવાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. 


આ તે કેવી મનમાની : મન કી બાત કાર્યક્રમમાં ગેરહાજર વિદ્યાર્થિનીઓને દંડ ફટકારાયો


રાણીવાસના પુનઃ સ્થાપનના પ્રથમ ચરણને ખુલ્લું મુકાયું
ઉલ્લેખનીય છે કે 2001માં આવેલા ગોઝારા ભૂકંપમાં અનેક ઐતિહાસિક ઇમારતો જર્જરિત થઈ હતી. આવી જર્જરિત ઈમારતોને ફરીથી તેના મૂળ સ્થાપત્ય સુધી લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. 500 વર્ષ જૂના દરબારગઢમાં રાણીવાસનું કોઈ પણ જાતના સિમેન્ટના ઉપયોગ કર્યા વગર પુનઃસ્થાપન કરવામાં આવી રહ્યું છે અને એનું પણ સમારકામ મહારાણી સાહેબના આશીર્વાદથી શરૂ કરવામાં આવ્યું છે. જેનું પ્રથમ ચરણ પૂર્ણ થતા તેને આજે ખુલ્લું મૂકવામાં આવ્યાં હતું. 


પ્રાગમહલ દરબારગઢના કંઝર્વેશન આર્કિટેક શ્રીરાજસિંહ ગોહિલે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મહારાવ પ્રાગમલજી ત્રીજા અને મહારાણીનું સપનું હતું કે દરબારગઢનું પ્રાગમહલ અગાઉ જેવું હતું, તેવું ફરીથી સ્થાપિત કરવામાં આવે તો અગાઉ અહીં જેવું ગાર્ડન હતું તેવું ગાર્ડન અહીઁ ઉભુ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાણીવાસનું પુન: સ્થાપન કરવામાં આવી રહ્યું છે. પહેલા જુના સમયમાં જે આર્કિટેકચર કન્સ્ટ્રક્શન ટેકનોલોજી હતી એ જ ટેકનોલોજી સમજી શીખીને પહેલા જે પત્થરો ઉપયોગમાં લેવાય હતા, તેના ઉપયોગથી જ પુન:સ્થાપન કરી રહ્યા છીએ. બીજા ચરણમાં રિસ્ટોરેશનની પ્રક્રિયા મોટા આર્કિટેક રવીન્દ્ર વસાવડાના માર્ગદર્શનમાં કરવામાં આવશે. 


ખેડૂતે તરબૂચને શેરડીનો રસ પાયો, અને પછી જે ઉગ્યું તે વિચાર પણ નહિ કરી શકો