જાણીતા કચ્છી લોકગાયક ઈસ્માઈલ મીરની ચીર વિદાય
જાણીતા કચ્છી લોકગાયક ઈસ્માઈલ મીરની ચીર વિદાયથી તેમના ચાહકોને ભાર આઘાત લાગ્યો છે.
રાજેન્દ્ર ઠક્કર, ભુજ: કચ્છી કાફીના જાણીતા ગાયક એવા લોકકલાકાર ઇસ્માઇલભાઇ મીરનું અહીં ગઈ કાલે સાંજે અવસાન થતાં સંગીતપ્રેમી અને તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઇ છે. કચ્છી કાફી-ઓસાણી અને રાસુડા ઉપરાંત લગ્ન પ્રસંગે `ગોઠ'ની ગાયકીમાં ઇસ્માઇલભાઇ મીર અને તેમના પત્ની અમીનાબેન મીર બહુ જાણીતા હતા. તેમના પત્ની અમીનાબેનનું થોડા સમય પહેલાં જ અવસાન થયું હતું. આ ગાયક દંપતીના અનેક ઓડિયો-વીડિયો આલ્બમ બહાર પડયા હતા. હાજીપીરના મેળા વખતે તેમની નવી નવી લોન્ચ થતી કેસેટ ધૂમ મચાવતી હતી.
રણોત્સવના પ્રથમ વિજ્ઞાપનમાં તેમના કંઠનો ઉપયોગ થયો હતો. કાલે સાંજે શ્રી મીરની ચિર વિદાયથી ભુજના કેમ્પ વિસ્તારમાં દુ:ખની લાગણી ફેલાઇ હતી, તેવું સામાજિક અગ્રણી રોયલ ફાઉન્ડેશનના અનવર જુમા નોડેએ જણાવ્યું હતું. સદ્ગત ગાયકને જાણીતા કલાકાર કમ એરેન્જર શૈલેશ જાનીએ અંજલિ આપી હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube