હિમાંશુ ભટ્ટ/મોરબી: લીલાપર રોડ ઉપર કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો તૈયાર કરવામાં આવ્યા છે. પરંતુ આ મકાનોમાં લાઇટની સુવિધા પણ નથી. અને પાણીની સુવિધા પણ નથી. જેના કારણે અહીં રહેવા આવેલા પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રહેણાંકમાં પાણીની સુવિધા ન હોવાના કારણે અહી રહેતી મહિલાઓ અને યુવતીઓ બહાર શૌચ માટે જવા મજબૂર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

400 મકાન લીલાપર રોડ ઉપર બની ગયા બાદ ઘણા મકાનોમાં લોકો રહેવા તો આવી ગયા પરતુ સુવિધાના અભાવે ઘણા લોકોએ અહીં રહેવા આવવાનું ટાળ્યું છે. ઝુપડા છોડીને સરકારી કવાર્ટરમાં લોકો રહેવા તો આવ્યા પરંતુ પાણીની સુવિધા ન હોવાથી ઘરમાં બનેલા શૌચાલય પણ શોભાના ગાંઠિયા સમાન થઇ ગયા છે. અને અહીં રહેવા આવેલા લોકો હવે જાણે ફસાઇ ગયા હોય તેવું તેમને લાગી રહ્યું છે.


[[{"fid":"183438","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Morbi-Avvas","field_file_image_title_text[und][0][value]":"Morbi-Avvas"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Morbi-Avvas","field_file_image_title_text[und][0][value]":"Morbi-Avvas"}},"link_text":false,"attributes":{"alt":"Morbi-Avvas","title":"Morbi-Avvas","class":"media-element file-default","data-delta":"1"}}]]


જો આ આવાસ યોજનામાં આ જ પ્રકારે સુવિધાઓનો અભાવ રહેશે તો આ આવાસ યોજના મોરબીમાં નિષ્ફળ જાય તો નવાઇ નહી. કારણ કે જો આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધા જ ન હોય તો ઝુપડામાં રહો કે આ મકાનોમાં ફેર શુ પડવાનો છે.