જૂનાગઢઃ જૂનાગઢમાં ગિરનાર પર્વતની ફરતે પ્રતિ વર્ષની જેમ શનિવારથી લીલી પરિક્રમા શરૂ થઈ છે. અહીં પહોંચવા માટે ભાવિકો જીવના જોખમે ટ્રેનની છત ઉપર બેસીને મુસાફરી કરતા હોય છે. મુસાફરો દ્વારા કરાતી આ જોખમી મુસાફરી અંગે શનિવારે મીડિયામાં પણ પ્રસારિત થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે સાંજે આવી જ જોખમી મુસાફરી કરતા ત્રણ ભાવિકોને બિલખા સ્ટેશન નજીક વીજકરન્ટ લાગતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઉનાના વડવીયલા ગામના જયેશ નાનુ વંશ, દેલવાડા ગામના જગદીશ અરજણ વંશ અને ભીખા કાના જેઠવાને બિલખા સ્ટેશન નજીક ઉપરથી પસાર થઈ રહેલા વીજ પ્રવાહનો સંપર્ક થઈ જતાં કરન્ટ લાગ્યો હતો. 


ટ્રેન પર લટકીને ગિરનાર પરિક્રમામાં પુણ્યનું ભાથુ લેવા નીકળ્યા શ્રદ્ધાળુઓ, ડ્રોનથી લેવાયો Video


આ ઘટનામાં ત્રણેય ભાવિકને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આથી, તેમને તાત્કાલિક 108માં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 


[[{"fid":"190269","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


અહીં તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા મુસાફરોને આવી જોખમી મુસાફરી ન કરવા માટે સુચના આપવામાં આવી છે. 


ભીડ એટલી ઉમટી કે, બે દિવસ વહેલા ખોલવા પડ્યા ગિરનાર પરિક્રમાના દરવાજા


ઉલ્લેખનીય છે કે, લીલી પરિક્રમા 19 નવેમ્બરથી પ્રારંભ થવાની હતી, પરંતુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બે દિવસ વહેલા પહોંચી જતાં શનિવારે જ વનવિભાગ દ્વારા જંગલના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. આજે ભવનાથમાં એક લાખ જેટલા પ્રવાસીઓ આવી જતા વન વિભાગ દરવાજા ખોલવા મજબૂર બન્યું હતું.  


[[{"fid":"190270","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


પરિક્રમાર્થીથી ભવનાથ ઉભરાયું
ગિરનારના પરિક્રમા રૂટ પર 2 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા. હજુ સતત ભવનાથથી રૂપાયતન રસ્તા પર ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. વન વિભાગે રાત્રિના સમયે ઇટવા ગેટ ખોલવાની ફરજ પડી. હજુ પરિક્રમા શરૂ થવાને બે દીવસ બાકી છે ત્યારે ભાવિકો ઉમટી પડયા.