Gujarat Assembly 2022 Result ગુજરાત ચૂંટણી પરિણામ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપ અનેક બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકના ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. અનેક મહારથીઓની જીત-હાર જનતાનો જનાદાર નક્કી કરશે. ત્યારે શરૂઆતના ટ્રેન્ડમાં કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. હાલ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ઘણો ગેપ જોવા મળી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે, આપની એન્ટ્રી શરૂઆતના વલણમાં જોવા મળી છે. વધુ બેઠકો પર આગળ રહેવું એટલે ભાજપ માટે જેકપોટ છે. ભાજપ અનેક બેઠકો પર આગળ ચાલી રહી છે. પરંતુ લોકોની નજર દિગ્ગજ ઉમેદવારો પર છે, જેમની જીત થશે તો વિધાનસભા પહોંચશે, પણ જો હાર થશે તો સીધા ઘરભેગા થશે. આવામાં હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ ઠાકોર, ઈસુદાન ગઢવી, જિગ્નેશ મેવાણી, શંકરસિંહ ચૌધરી,  ઋષિકેશ પટેલનું શું થશે એ આજે ખબર પડી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, શરૂઆતના ટ્રેન્ડ હાર્દિક ટ્રેન્ડ માટે સારું પરિણામ નથી લાવ્યું. સવારથી હાર્દિક પટેલ વિરમગામથી આગળ ચાલી રહ્યાં છે. અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર. જ્યાં હાર્દિક પટેલની અગ્નિપરીક્ષા છે. હાર્દિક પટેલે પોતાના વતનમાંથી ચૂંટણી ભલે લડી, પણ તેમની સામે પડકારો ઘણા હતા. 2012 અને 2017માં વિરમગામમાં 68 ટકા મતદાન થયું છે, બંને વખત જીત કોંગ્રેસની થઈ છે. જો કે આ વખતે મતદાન ઘટીને 63.95 ટકા રહી ગયું છે. અહીં એ પણ નોંધવું જરૂરી છે કે 2012ની સરખામણીમાં 2017માં કોંગ્રસની લીડમાં 65 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. કોંગ્રેસની ઘટતી લીડ અને ઓછા મતદાન વચ્ચે ભાજપના હાર્દિક પટેલની પરીક્ષા છે. 


તો સુરતના વરાછા બેઠક પર આંદોલનનો ચહેરો અલ્પેશ કથીરિયા 
વીસનગરમાં ઋષિકેષ પટેલ આગળ ચાલી રહ્યાં છે
જામ ખંભાળિયાથી ઈસુદાન ગઢવી પાછળ ચાલી રહ્યાં છે 
થરાદથી શંકર ચૌધરી આગળ
ગોપાલ ઈટાલિયા આગળ 
ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોરથી આગળ
વાવમાં ગેનીબેન ઠાકોર આગળ


થરાદ બેઠક 
સૌથી પહેલા જો થરાદ બેઠકની વાત કરીએ તો અહીં ભાજપ તરફથી શંકર ચૌધરી મેદાનમાં છે. ભાજપ માટે પોતાનો ગઢ એવી થરાદ બેઠક પરત મેળવવાનો પડકાર છે તો શંકર ચૌધરી માટે રાજકીય કારકિર્દીનો સવાલ છે. થરાદ બેઠક પર આ વખતે મતદાનમાં ઘટાડો થયો છે, પણ આ ઘટાડો નજીવો છે. સાથે જ સમગ્ર રાજ્યમાં થયેલા ઓછા વોટિંગ સામે અહીંનો આંકડો ઘણો મોટો છે. થરાદમાં છેલ્લી ત્રણ ચૂંટણીની વોટિંગ પેટર્ન જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે  ઓછા વોટિંગથી કોંગ્રેસને ફાયદો થયો છે. 2017માં 86.15 ટકા મતદાન વચ્ચે ભાજપના પરબત પટેલ જીત્યા હતા. તો 2019ની પેટાચૂંટણીમાં 68.94 ટકા મતદાન વચ્ચે કોંગ્રેસના ગુલાબસિંહ જીત્યા હતા. ઓછા મતદાન વચ્ચે પણ ગુલાબસિંહના વોટશેરમાં 10 ટકાનો વધારો નોંઘાયો હતો. આ વખતે થરાદ બેઠક પર 85.02 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે અગાઉના સમીકરણો જળવાય છે કે પછી નવા સમીકરણ રચાય છે, તેના પર સૌની નજર છે. જો કે શંકર ચૌધરીને જીતનો વિશ્વાસ છે.


વડગામ બેઠક 
તો આ તરફ બનાસકાંઠાની વડગામ બેઠકના પરિણામો પર પણ સૌની નજર છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સૌથી મોટો ચહેરો છે. 2012 અને 2017માં વડગામમાં 72 ટકા મતદાન થયું હતું, 2012માં અહીં ભાજપ જીત્યું હતું, તો 2017માં મેવાણી અપક્ષ જીત્યા હતા. આ વખતે વડગામમાં મતદાન ઘટીને 66.21 ટકા થયું છે, ત્યારે ઘટેલું મતદાન કોની તરફેણમાં રહે છે, તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.


ગાંધીનગર બેઠક
ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર માટે આ ચૂંટણી તેમના રાજકીય ભાવિનો સવાલ હતી. અલ્પેશ ઠાકોર રાધનપુરથી લડવા માગતા હતા, જો કે તેમની ઈચ્છા પૂરી ન થઈ. ઠાકોર અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર 2012માં 73.45 ટકા અને 2017માં 70.73 ટકા મતદાન થયું હતું. બંને વખત આ બેઠક ભાજપને ફાળે આવી. જો કે આ વખત અહીં મતદાન ઘટીને 62.2 ટકા થયું છે. મતદાનમાં ઘટાડો કોંગ્રેસને ફળે છે કે ભાજપને એ મોટો સવાલ છે. જો કે એ વાત નક્કી છે કે અલ્પેશ ઠાકોર જીતશે તો તેમની રાજકીય કારકિર્દી બચી જશે. 


વીસનગર બેઠક
મહેસાણાની વીસનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન મંત્રી ઋષિકેશ પટેલનું ભાવિ દાવ પર છે. 2017માં અહીં 74.75 ટકા મતદાન થયું હતું, જે આ વખતે ઘટીને 69 ટકા થયું છે. 2012માં ઋષિકેશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર સામે 2,869 મતોની પાતળી સરસાઈથી જીત્યા હતા. ત્યારે આ વખતનું ઓછું મતદાન નવા સમીકરણો રચે છે કે કેમ તેના પર સૌની નજર છે.