સુરત : શહેરમાં ગત રોજ કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ અને આજે વધારે ત્રણ પોઝિટિવ કેસ આવવાને કારણે તંત્રની ઉંઘ ઉડી ચુકી છે. પાલિકા કમિશ્નરે સુરતીઓને આગામી દિવસોમાં તકેદારી નહી રખાય તો ખુબ જ કપરા દિવસ આવી શકે છે. શહેર અને જિલ્લાના કુલ 19 પોઝિટિવ કેસમાંથી 9 કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેમની કોઇ હિસ્ટ્રી ન હોવાથી તેના રહેઠાણના આખા વિસ્તારને જ માસ ક્વોરન્ટીનમાં મુકી દેવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં કમ્યુનિટી કિચન પર પ્રતિબંધ, સામાજિક સંસ્થાઓ કિટ બનાવી તંત્રને આપી શકશે

બે દિવસ અગાઉ મૃત્યુ પામેલી મહિલા અને કાલ તથા આજનાં કુલ થઇને 6 કેસમાં પણ લોકલ ટ્રાન્સમિશન થઇ રહ્યું છે. જેથી સોશિયલ ડિસ્ટન્સ ન થાય તો આગામી દિવસોમાં ખુબ કપરા દિવસો આવે તેવી શક્યતા છે. કેટલાક દિવસોમાં એક કેસ આવ્યા એક દિવસમાં એક પણ કેસ આવ્યો નહોતો. હવે ગતરોજ ત્રણ કેસ અને આજરોજ બીજા ત્રણ કેસ આવી ચુક્યા છે. હાલ ક્વોરન્ટીન, માસ ક્વોરન્ટીન, આઇસોલેશન પદ્ધતીથી કામગીરી ચાલી રહી છે. મહત્તમ લોકોને રાખીને વોરરૂમ તૈયાર કરીને 24 કલાક કામગીરીની તૈયારી થઇ ચુકી છે. 


ગુજરાત કોરોના સાથે અનેક બાબતે સ્વનિર્ભર, વેન્ટિલેટર, પીપીઇ કીટ સહિતનાં સાધનો જાતે જ બને છે

સુરતમાં એક જ દિવસમાં ત્રણ કેસ અને આજના બે કેસ સાથે અત્યાર સુધીમાં કોરોના દર્દીનો આંકડો 19ને પાર પહોંચી ગયો છે. જો કે છેલ્લા નવ કેસ લોકલ ટ્રાન્સમિશનનાં હોવાથી તંત્ર દોડતું થયું છે. લોકલ ટ્રાન્સમિશનનાં વધતા કેસને અટકાવવા માટે લોકોને વધારે સાવચેત રહેવા માટે જણાવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube