ઝી મીડિયા/બ્યૂરો :સતત વધી રહેલા કોરોનાના કેસ મામલે કોઈની પાસે જવાબ નથી. પણ, હવે આ આંકડાને અંકુશમાં મૂકવા માટે હવે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આજ સવારથી અમદાવાદની ચિંત મામલે સતત ચાલેલી બેઠક બાદ નિર્ણયો લેવાયા છે કે, અમદાવાદમાં આગામી 1 સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જેમાં દૂધ અને દવાની દુકાનો શરૂ રહેશે. પરંતુ શાકભાજી, ફ્રૂટ, કરિયાણાની દુકાનો બંધ રહેશે. આ સિવાય કોઈ પણ સેવાઓ ચાલુ નહિ રહે. 15 મે સુધી અમદાવાદ સંપૂર્ણપણે બંધ જોવા મળશે. આમ, હવે 15 મે સુધી અમદાવાદમાં ચકલુ ય ફરકી નહિ શકે.


ગુજરાતમાં ચીન બાદ હવે પાકિસ્તાની સહરદથી આવ્યુ જૂનુ અને જાણીતું સંકટ