Lok Sabha Election 2024: ગુજરાતમાં આજથી લોકસભાની ચૂંટણીનું ભાજપે બ્યૂગલ ફૂંકી દીધું છે. લોકસભા ચૂંટણીના ઓપિનિયન પોલ અને સર્વેક્ષણોમાં, ભાજપ ગુજરાતમાં એક ધાર જાળવી રહી છે. સર્વેમાં પાર્ટી 26 માંથી 26 સીટો જીતતી જોવા મળી રહી છે, પરંતુ આમ છતાં પાર્ટી પોતાના સૌથી મજબૂત ગઢમાં કોઈ જોખમ લેવા માંગતી નથી. જેથી પાટીલ અને ભાજપ સંગઠન અને સરકાર નવી વ્યૂહરચના અજમાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AAPના પોસ્ટરબોય અને સૌરાષ્ટ્રના ATM પર કોંગ્રેસે લગાવ્યો મોટો દાવ, રૂપાણી સામે મળી..


બીજી તરફ કોંગ્રેસ સૌરાષ્ટ્ર અને ઉત્તર અને મધ્ય ગુજરાતની 10 બેઠકો પર ફોકસ કરી રહી છે. ગુજરાતમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 52.52 ટકા વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 27.3 અને આમ આદમી પાર્ટીને 12.9 ટકા વોટ મળ્યા હતા. જો કોંગ્રેસ અને AAP સાથે આવે તો મતોનું કોઈ વિભાજન નહીં થાય, ભાજપને તેનો ભોગ બનવું પડે એવો ભાજપને ડર છે.  કોંગ્રેસે 26માંથી 26 બેઠકોમાં ગાબડું પાડ્યું તો પણ કોંગ્રેસ પોતાની જીત માનશે એટલે જ કોંગ્રેસ માત્ર 10 બેઠકો પર ફોક્સ કરી દક્ષિણ ગુજરાતને છોડી દીધું છે. ભાજપ ક્લીન સ્વીપની 'હેટ્રિક' કરવા ડઝનથી વધુ ટિકિટ કાપી શકે છે કારણ કે આ સાંસદો સામે સ્થાનિકમાં મોટા હોબાળા છે. આ સપ્તાહે જ પાટીલ અને સીએમે તમામ સાંસદો પાસે કામગીરીના રિપોર્ટ માગ્યા હતા. 


ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં કોર્ટે અરજી ફગાવી, કેજરીવાલના વકીલની અર્જન્ટ હિયરિંગની અરજી ફગાવી


દેશની વાત કરીએ તો પાર્ટી દિલ્હીથી લોકસભાના સાંસદને અન્ય રાજ્યમાંથી ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે ત્યારે અન્ય બે સાંસદોની ટિકિટ કાપવાની પણ તૈયારી ચાલી રહી છે. હરિયાણામાં આ વખતે પાર્ટી 5 સીટો પર ઉમેદવાર બદલવાની તૈયારી કરી રહી છે. તો ભાજપ મધ્યપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, આસામ, ઝારખંડ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ અને તેના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાં પણ ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ કાપવા જઈ રહી છે. ગુજરાતમાં પાર્ટીના અનેક દિગ્ગજ રાજ્યસભા સાંસદો આ વખતે લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે અને સીટીંગ સાંસદોની ટિકિટ કાપીને જ ટિકિટ આપવામાં આવશે.


સારા વરસાદ માટે હજું જોવી પડશે રાહ! પણ આ વિસ્તારોમાં છે ગાજવીજ સાથે વરસાદની આગાહી


ગુજરાત ભાજપનો ગઢ છે. ભાગ્યે જ કોઈને તેના પર શંકા હશે. આ અભેદ્ય કિલ્લામાં ભાજપ ત્રીજીવાર ક્લીન સ્વીપ જીતવા માટે નવી વ્યૂહરચના ઘડી રહી છે. પાર્ટી હાઈકમાન્ડ I.N.D.I.A ગઠબંધનની અસરનું આકલન કરી રહ્યું છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. 2019 અને 2014ની ચૂંટણીમાં પાર્ટીએ તમામ સીટો જીતીને બધાને ચોંકાવી દીધા હતા. કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. હવે પાર્ટી દરેક કિંમતે પોતાનું પ્રદર્શન જાળવી રાખવા માંગે છે. તેથી જ રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંભવિત ગઠબંધનને ધ્યાનમાં રાખીને ભાજપ સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. જેના કારણે આગામી દિવસોમાં પાર્ટીમાં ઘણા બદલાવ જોવા મળી શકે છે. પાર્ટી નવી રીતે સોશિયલ એન્જિનિયરિંગ કરી શકે છે. એટલું જ નહીં, 2024માં 26માંથી 26 બેઠકો જીતવા માટે પાર્ટી મોટા પાયે વર્તમાન સાંસદોની ટિકિટ પણ કાપી શકે છે.


ઉમેદવારો માટે વધુ એક ખુશખબર;VMCની જૂનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર,પરિપત્ર જાહેર


નવા ચહેરાઓને તક મળી શકે છે
પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં 12થી વધુ સીટો પર નવા ચહેરાઓને તક આપી શકે છે. પાર્ટી ભૂતકાળમાં પણ મોટા પાયે ઉમેદવારો બદલી રહી છે. પાર્ટી ઘણી વખત સાંસદોની ટિકિટ કાપી શકે છે અને તેમને સંગઠનમાં નવી જવાબદારીઓ સોંપી શકે છે. જો સૂત્રોનું માનીએ તો કઈ સીટો પર પાર્ટી I.N.D.I.A ગઠબંધન ફરક કરી શકે છે? તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે પાર્ટી પોતાના સ્તરે રણનીતિ પણ બનાવી રહી છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે પાર્ટીમાં ભલે અંદરોઅંદર લડાઈ ચાલી રહી હોય પરંતુ સપ્ટેમ્બર મહિનામાં બધુ બરાબર થઈ જશે. પાર્ટી હાઈકમાન્ડ તરફથી રાજ્ય એકમમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવી શકે છે. નવરાત્રિ પહેલાં પાર્ટી સંપૂર્ણપણે લોકસભા ચૂંટણી મોડ પર સ્વિચ કરશે.


ISRO: જાણો કોણ છે એસ સોમનાથ, જેમના નેતૃત્વમાં ચંદ્રયાન-3 રચશે ઈતિહાસ


ગઠબંધનથી કેટલું નુકસાન?
વિપક્ષના I.N.D.I.A ગઠબંધન પહેલા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ 5 લાખ મતોના માર્જિનથી તમામ 26 બેઠકો જીતવાનું લક્ષ્‍ય રાખતા હતા, પરંતુ હાલમાં આંતરિક વિખવાદને કારણે પાટીલ થોડા શાંત છે. AAP ગુજરાતમાં છ સીટો પર લડવા માંગે છે, તો કોંગ્રેસ પાર્ટી 19 સીટો પર લડશે. બંને પક્ષો પાસે કોઈ બેઠક નથી. આવી સ્થિતિમાં ભાજપે પોતાની તમામ 26 બેઠકો બચાવવી પડશે. ચર્ચા છે કે પાર્ટી 12 થી 15 સાંસદોની ટિકિટ પર કાતરનો ઉપયોગ કરી શકે છે. આમાં, ઘણા મજબૂત નેતાઓના રાજકીય કરિયરનો અંત આવી જશે. આદિવાસી પટ્ટાની સાથે ઉત્તર ગુજરાતને લઈને પાર્ટી ખૂબ જ સાવધ છે. પાર્ટીને લાગે છે કે આ વિસ્તારોમાં વધુ પડતા આત્મવિશ્વાસનો ભોગ બનવું મોંઘુ પડી શકે છે.


વર્ષનું સૌથી મોટું ગૌચર, સપ્ટેમ્બર સુધી આ લોકોને એટલો ફાયદો થશે કે તિજોરી નાની પડશે