ઉદય રંજન, અમદાવાદ: છેલ્લા દસ દિવસમાં અમદાવાદ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે ચોરીઓ અને લૂંટના ગુનાને અંજામ આપી ગણતરીની સેકંડો માંજ ગાયબ થઇ રહ્યા છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં બે લૂંટના બનાવનો ભેદ ઉકેલ્યો છે. ફોજી ગેંગના પાંચ સાગરીતોની ઝડપી અઢી લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાકીમાં માલસામાન આપતા પહેલા ચેતજો! નહીંતર તમારો પણ આવો વારો આવશે


અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં લૂંટારુઓ ફાયરિંગ સહીત લૂંટની ઘટનાને અંજામ આપી શહેર પોલીસને હંફાવી દીધી હતી. પૂર્વ વિસ્તારમાં આવેલા એક જવેલર્સ તથા વેપારીના ત્યાં લૂંટારુઓ ફાયરિંગ કરી અમદાવાદના વેપારીઓમાં દહેશતનો માહોલ ઉભો કરી દીધો હતો. સૌ પ્રથમ લૂંટ 02-01-2021 ના રોજ ઠક્કરબાપા નગર નજીક આવેલી તમાકુ અને સોપારીના વેપારીના ત્યાં ફાયરિંગ કરી રોકડ રકમ 30,000 ની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ બીજી લૂંટ 03-01-2021 ના રોજ નિકોલ વિસ્તારમાં વિરલ ગોલ્ડ પેલેસમાં દિલધડક લૂંટ ચલાવી હતી. જેમાં 6.77,000 ની લૂંટ ચલાવી હતી. લૂંટ થતાની સાથે જ પોલીસને અંદાજો આવી ગયો હતો કે લૂંટ કરનારી આ એક જ ટોળકી છે ત્યારે સ્થાનીક પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરુ કરતા લૂંટારુ ટોળકીનું પગેરું મળી આવ્યું હતું.

60 તોલા સોનું, ત્રણ મકાનની માલકિન 20 વર્ષથી હતી કેદ, 8 ફૂટ વધી ગયા'તા વાળ


ક્રાઇમના સ્થળ પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અને ત્યારબાદ આરોપીઓના રૂટના સીસીટીવી ફૂટેજના આધારે તથા લૂંટમાં વપરાયેલા વાહનના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓની ઓળખ થઇ ચુકી અને પાંચ આરોપીઓની રાજવીર સિંહ બરજપાલસિંહ ગૌર, સત્યેન્દ્રસિંહ ઉર્ફે લલ્લા ગૌર, સુકેન્દ્રસીંગ અજમેરસિંગ નરવરિયા, દિપક પરિહાર તથા અજય મરાઠાની મહારાષ્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. 

પત્નીના દાગીના ગિરવે મુકી પડોશીની કરી આર્થિક મદદ, પૈસા પાછા માંગ્યા તો મળ્યું મોત


ઝડપાયેલા આરોપીઓના કેટરિંગના ધંધામાં નુકશાન ગયું હતું અને જુગાર રમવાની આદતે ક્રિમિનલ માઈન્ડમાં લૂંટ કરવાના વિચારને જન્મ આપ્યો હતો. આ પાંચેય આરોપીઓ અમદાવાદ લૂંટ કરવા માટે થઈને પરપ્રાંતીય ફૌજી ગેંગને હથિયાર સાથે લૂંટ કરવા માટે બોલાવી હતી. જેમાં બૂદ્ધેસિંગ પરિહાર, સુધીર ફૌજી તથા લખન ચમાર હથિયાર સાથે લૂંટ કરવા અમદાવાદ પહોંચી ગયા હતા. 


ઉલ્લેખનીય છે આ લૂંટારુ ટોળકીએ ભેગા મળીને બંને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, મહત્વનું છે કે લૂંટારુએ જયારે નિકોલમાં લૂંટની ઘટનાની અંજામ આપ્યા બાદ જે રિક્ષામાં ગયા હતા તે ઓટો રીક્ષાનો કલર પણ બદલી નાંખ્યો હોવાનું કેફિયત પોલીસ સમક્ષ આરોપીઓએ કબૂલી છે. બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ફૌજી ગેંગના બંને મુખ્ય સાગરીતોની ધરપકડ કરવા માટેનો લે આઉટ પ્લાન પણ ઘડી નાંખ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube