ગૌરવ પટેલ/અમદાવાદઃ મધ્યપ્રદેશ પર ફરી એક નવી લો પ્રેશસ સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાત(Gujarat Rain)માં શુક્રવાર અને શનિવારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે જ હવામાન વિભાગે મછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન ખાતા(IMD)ના જણાવ્યા અનુસાર, રાજ્યના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, ભરૂચ સહિતના વિસ્તાર અને સરદાર સરોવરના કેચમેન્ટ એરિયામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. 


કડાણા ડેમમાંથી પાણી છોડાતા પંચમહાલ અને અન્ય જિલ્લાના 127થી વધુ ગામ એલર્ટ કરાયા


આવતીકાલે એટલે કે શનિવારે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારો(Fisherman)ને દરિયો ન ખેડવા માટે સુચના આપી છે. 


આજે, દાહોદ-પંચમહાલ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને હવે આ પાણી વણાકબોરી ડેમમાં પહોંચે તો તે પણ છલકાવાની શક્યતા છે. જેના દાહોદ-પંચમહાલના નદીકાંઠાના 127 થી વધુ ગામોને એલર્ટ(Alert) કરવામાં આવ્યા છે. 


જુઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....