જૂનાગઢ: સોશિયલ મીડિયામાં ભેંસાણ તાલુકાના પરબધામના મહંત કરશનદાસ બાપુનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કરશનદાસ બાપૂએ અગાઉ વર્ષ 2020માં કહેર મચાવનારા કોરોના વાયરસને લઈને એક ભવિષ્યવાણી કરી હતી, જે ખરેખર સાચી સાબિત થઈ હતી. હવે કરશનદાસ બાપુએ વર્ષ 2023-24 ની અગમચેતીની એક ભવિષ્યવાણી કરી છે. આ વખતે કરશનદાસ બાપુએ લોકોને અનાજ ભેગુ કરી લેવાની સલાહ આપી છે.


વાયઈરલ થઈ રહેલા વીડિયોમાં બાપુ પાસે બેઠેલાં સેવકોને જણાવ્યું હતું કે, બાજરો અને જુવાર વાવી દેજો, કામ આવશે. આ વખતની ભવિષ્યવાણીમાં તેમણે જણાવ્યું છે કે વિશ્વમાં 6 અબજ માણસો ભૂખમરાથી મરી જશે. તમારી પાસે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી જશો. પરબધામના મહંત કરશનદાસ બાપુનો વીડિયો સોશિયલ મીડીયા પર ખુબ વાઈરલ થઇ રહ્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube