અમદાવાદ : ગુજરાત સરકારે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં લોકડાઉનની જાહેરાત કરી છે. આ સંજોગોમાં આગામી 25મી માર્ચ સુધી આ ચાર મહાનગરોમાં તબીબી સેવા, શાકભાજી, દૂધ અને કરિયાણા જેવી જરૂરી ચીજ વસ્તુઓ સિવાય તમામ વેપાર બંધા રહેશે. આ પરિસ્થિતિમાં વસ્તુઓ ખરીદવા લોકોએ પડાપડી કરવી નહીં તેવી પણ ગુજરાતે સરકારે અપીલ કરી હતી. કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા નિર્ણય લેવાયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube