ઝી બ્યુરો/ગાંધીનગર: ગાંધીનગરના દશેલા ગામમાં એક મોટી દુર્ઘટના બની છે. દશેલા ગામમાં પાણીના પ્રવાહમાં કાર ડૂબી છે. જેના કારણે કારમાં સવાર 4 લોકોના મૃતદેહ બહાર કઢાયા છે, હજુ પણ કારમાં સવાર એક વ્યક્તિની શોધખોળ ચાલું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હે રામ! 43 વર્ષીય કાપડ મિલના સુપરવાઇઝરનું હાર્ટ એટેકથી મોત, ત્રણ સંતાનોએ ગુમાવી છત્ર


ગુજરાતમાં ભયાનક એલર્ટ; ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાઈ છે ચેતવણી


આ ઘટનામાં ભોગ બનેલા ચારેય યુવાનો નરોડાના રહેવાસી છે, જ્યારે એક વ્યક્તિ દશેલા ગામનો છે. રાજસ્થાનથી પરત ફરતી વખતે આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. દશેલા ગામનું તળાવ ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ગાડી ડૂબી હતી. ગઈકાલે મોડી રાત્રે ઘટના બની હોવાનો પોલીસનો પ્રાથમિક અંદાજ છે. દશેરાના છોકરાએ પોતાના પિતાને રાત્રે 10:00 વાગ્યે છેલ્લો ફોન કર્યો હતો. તેના આધારે મોબાઈલ લોકેશનથી સમગ્ર ઘટના બહાર આવી છે.