મૌલિક ધામેચા/અમદાવાદ :અત્યારસુધી તમે પાખંડી બાબા નિત્યાનંદ (Nithyananda) ના કથિત ચમત્કારોની વાતો સાંભળી હશે. પણ હવે એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જ્યાં પાંખડી નિત્યાનંદ નહિ, પણ ઉચ્ચ શિક્ષિત અને જાણીતુ નામ એવા મંજુલા શ્રોફ (Manjula Shroff)  બાબાના પાખંડને સત્ય ગણાવવા જઈ રહી છે. આ વીડિયોમાં મંજુલા શ્રોફ નિત્યાનંદના એક કાર્યક્રમમાં તેના ગુણગાન ગાઇ રહી છે. મંજુલા નિત્યાનંદના ચમત્કાર વિશે જણાવી રહી છે. તેમજ મંજુલા શ્રોફ બાબા નિત્યાનંદ સાથે ઘણો સમય વ્યતિત કરે છે તે આ વીડિયોથી પુરવાર થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરથી ફૂંકાયેલા ઠંડા પવનોએ ગુજરાતે ઠાર્યું, શીતલહેરની હવામાન વિભાગની આગાહી


કલ્પના ન કરી શકાય કે, મંજુલા શ્રોફ અને બાબા નિત્યાનંદ વચ્ચે કેવા ગાઢ સંબંધો હશે. અને આ જ સંબંધનો પુરાવો એક વીડિયોમાં સામે આવ્યો છે. ડીપીએસ સ્કૂલના એમડી મંજુલા શ્રોફે બાબાની નવી શક્તિનો દાવો ગણાવી લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો છે. મંજુલા શ્રોફ કહી રહી છે કે, બાબા નિત્યાનંદને બે નહીં પણ ત્રણ આંખ છે. ત્રીજી આંખની શક્તિથી શરીરના વાળ પણ દૂર કરી શકે છે. એટલે કે બાબાની ત્રીજી આંખની નજર વેક્સિંગ કરી આપે છે. આ નવા વીડિયોમાં મંજુલા શ્રોફે ત્રીજી આંખનું રહસ્ય ખોલ્યું છે. અને આ વીડિયો ઢોંગી બાબા નિત્યાનંદના એક સત્સંગ સમારોહનો છે. જેમાં મંજુલા આ ઢોંગી બાબાના ગુણગાન ગાઈ રહી છે. નિત્યાનંદ અને મંજુલા શ્રોફના સંબંધો કેટલા ગાઢ હતા તે આ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે. આ વીડિયોમાં મંજુલા શ્રોફે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, નિત્યાનંદ તેની ત્રીજી આંખની મદદથી વેક્સિંગ પણ કરતો હતો અને દાવો કર્યો હતો કે 50 ટકા વાળ તો તેની ત્રીજી આંખથી જ દૂર થઈ જતા હતાં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....