ઉદય રંજન, અમદાવાદઃ સોલામા લગ્ને લગ્ને કુવારા યુવકે એક નહિ પરંતુ પાંચ યુવતી સાથે લગ્ન કરીને વિશ્વાસઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવકની ચોથી પત્નીએ પોલીસ સ્ટેશનમા બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી. કોણ છે આ શખ્સ જોઈએ આ અહેવાલ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રબજોત ઉર્ફે પંકજ પંજાબીએ લગ્ન કરવાની હદ વટાવી દીધી છે. તેણે એક કે બે નહિ પરંતુ પાંચ પાંચ લગ્ન કર્યા હોવાનો ઘટસ્ફોટ તેની ચોથી પત્નીએ કર્યો છે. વાત કઈક એવી છે કે 2016મા ખાનગી કપંનીમા મહિલાનો પરિચય આરોપી પ્રબજોત પંજાબી સાથે થયો. યુવતીના પ્રથમ પતિ સાથે છુટાછેડા થઈ જતા 2018મા પ્રબજોતે પોતે કુવાંરો હોવાનુ કહીને યુવતી સાથે  પ્રેમસંબંધ રાખ્યો, અને મંદિરમા લગ્ન કરીને લીવ ઈન રીલેશનશીપમા રહેવા લાગ્યા હતા. આ દરમ્યાન એક દિકરીનો જન્મ થયો. મહિલાએ પ્રબજોતને કોર્ટ મેરેજ કરવાનુ કહેતા આરોપી ઘર છોડીને ફરાર થઈ ગયો, અને આરોપીની અગાઉની એક પત્ની તેનો ફોટો લઈને આ મહિલાના ઘરે પહોચતા પ્રબજોતનો ભાંડો ફુટી ગયો હતો. 


આ પણ વાંચોઃ LRD ની ભરતીમાં જોવા મળ્યો ઉત્સાહ, 10,459 જગ્યા સામે મળી 12 લાખ અરજી


મહિલાએ આક્ષેપ કર્યો છે કે પ્રબજોતે પરણિત હોવા છતા કુવારો કહીને લગ્ન તો કર્યા પરંતુ પોતે શરૂ કરેલા ખોપચા કાફે અને લક્સુરીર્સ ગાડી વેચીને રૂપિયા ચાઉં કરી દીધા. આરોપીએ અગાઉ દર્શના સૈની, સંતવિન્દરકૌર, હિમાચલ પ્રદેશમા ચારૂ શર્મા સાથે લગ્ન કર્યા અને હવે શાર્મીન નામની યુવતી સાથે લગ્ન કરીને લીવ ઈનમા રહેતો હોવાનો ફરિયાદમા આક્ષેપ કર્યો છે. આરોપીએ એક નહિ પરંતુ પાંચ યુવતી સાથે સંબંધના નામે વિશ્વાસઘાત કર્યો હોવાથી સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


એક વ્યકિતએ મિલકત અને પૈસાની લાલચમા પાંચ યુવતીની જીદંગી ખરાબ કરી દીધી. આરોપી અન્ય કોઈ યુવતી સાથે આવુ કૃત્ય ના કરે અને તેને કડક સજા થાય તેવી યુવતીએ પોલીસ સમક્ષ માંગ કરી છે. ત્યારે સોલા પોલીસે આરોપીની મેડીકલ તપાસ કરાવીને આ આક્ષેપોને લઈને વધુ તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube