હીતલ પારેખ/ ગાંધીનગરઃ ગુજરાતમાં તબીબી શિક્ષણની બેઠકોમાં વધુ 300નો ઉમેરો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વિસનગર અને નડિયાદની કોલેજ માટે 150-150 બેઠકો મંજૂર કરવામાં આવી છે. આમ, રાજ્યમાં હવે મેડિકલની કુલ 4450 બેઠક થઈ જશે. આથી, તબીબી અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે અને તેની સાથે જ વિસનગર અને નડિયાદમાં મેડિકલ કોલેજ શરૂ થઈ જતાં શહેરની પ્રજાને ઉચ્ચ તબીબી સુવિધાઓનો પણ લાભ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું કે, "કેન્દ્ર સરકારે આજે વિસનગર અને નડિયાદની બે નવી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ માટે MBBSની 150-150 બેઠકો મળી કુલ 300 બેઠકોને મંજૂરી આપી છે. હવે રાજ્યમાં MBBSની કુલ 4450 બેઠકો ઉપલબ્ધ થશે. આ બેઠકો પર નવા શૈક્ષણિક વર્ષથી જ પ્રવેશ આપવામાં આવશે. જેના કારણે 300 તેજસ્વી વિદ્યાર્થીઓને ડૉક્ટર બનવાની તક મળશે અને રાજ્યમાં ભવિષ્યમાં ડૉક્ટરોની સુવિધા પણ ઉપલબ્ધ થશે."


કાળઝાળ ગરમીની અસર 108 ઈમરજન્સી સેવા પર પણ જોવા મળી, 5 દિવસ રહેશે હીટવેવ


નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, નૂતન મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર-વિસનગર તથા ધર્મસિંહ દેસાઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ કોલેજ, નડીયાદ ખાતે આ વધારાની 150-150 બેઠકો ઉપલબ્ધ થતાંની સાથે જ રાજ્ય સરકારની ગ્રીનફીલ્ડ કોલેજોના નિર્માણની નીતિ અન્વયે આ બંને સ્થળોએ 300-300 પથારીની સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ પણ ઉપલબ્ધ બનશે. જેના કારણે દર્દીઓને ઘરઆંગણે ઝડપથી સારવાર મળતી થશે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...