ગૌરવ પટેલ/અમદાવાદ: કોંગ્રેસની વર્કિંગ કમીટીની બેઠકમાં હાજર રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, મોદીજી બોલીવુડના એક્ટર જેવા છે. 2014માં વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પૂર્ણ કર્યા નથી. મોદીજીએ આપેલા વાયદાઓનો જવાબ આપવો પડશે. જનતા જવાબ માંગી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં યોજાયેલી વર્કિંગ કમીટીની બેઠક સફળ રહી અને મોટી સંખ્યામાં જનતા રેલીમાં જોડાઇ હતી. મોદી પર પ્રહાર કરતા વધુમાં તેમણે જણાવ્યું કે, મોદી મોધવારી રાફેલ બેરોજગારીને લઇને પ્રજા હવે મોદી પાસે જવાબ માગી રહી છે. વડાપ્રધાન મનની વાત નથી કરતા લોકો પર તેમના મનની વાત થોપી રહ્યા છે.


લોકસભાની ચૂંટણીમાં જ ખબર પડશે કે હાર્દિક પટેલ કેવી રીતે જીતશે: નીતિન પટેલ


 



ન્યૂનતમ વેતનની વાત અંગે કહ્યું કે આ પ્રિયંકા ગાંધીનો આઇડિયા છે. અને સરકાર બનશે તો આ અંગે વહેલી તકે કામ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા પણ ભૂતકાળમાં પણ આ પ્રકારના ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યા છે. આગામી સમયમાં જો અમારી સરકાર બનશે તો તરત જ કામે લાગી જઇશું. મોદીજીની રાજનીતીમાં સત્યાતા નથી. વડાપ્રધાને જાવાબ આપવાનો વારો આવ્યો છે.