ઉમેશ પટેલ, વલસાડ: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકર (Mohan Delkar) ના આઘાતજનક આપઘાત (Suicide) નો મુદ્દો હવે વલસાડ (Valsad) જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી(Local Body Election) માં ચૂંટણી પ્રચારનો મુદ્દો બની રહ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢામાં કોંગ્રેસ(Congress) ની યોજાયેલી ચૂંટણી સભામાં મોહન ડેલકર (Mohan Delkar) ના સાળા પ્રકાશ પટેલ સભા મંચ પર હાજર રહ્યા હતા. કોંગ્રેસની આ ચૂંટણી સભામાં સ્વ.મોહન ડેલકર(Mohan Delkar) ને મૌન પાળી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રકાશ પટેલ અને કોંગ્રેસ (Congress) ના આગેવાનો અને ઉમેદવારોએ મોહન ડેલકરના આઘાતજનક આપઘાત (Suicide) ના મુદ્દાને કોંગ્રેસ (Congress) ના જાહેર મંચ પરથી ઊઠાવ્યો હતો અને પોતાના બનેવી અને કપરાડા વિસ્તારના જમાઈ એવા મોહન ડેલકરના આપઘાત પાછળ દમનકારી સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના ભાજપ શાસિત પ્રશાસન હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો.

India vs England: ત્રીજા, ચોથા અને પાંચમા દિવસની ટિકીટો ખરીદનારાઓના પૈસા ડૂબશે કે રિફંડ મળશે? જાણો અહી


મહત્વપૂર્ણ છે કે મોહન ડેલકરનું સાસરુ વલસાડ (Valsad) જિલ્લાના કપરાડા તાલુકાનું સુખાલા ગામ છે. જે કપરાડા તાલુકાની મોટાપોંઢા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવે છે. આમ મોહન ડેલકરના સાળા પ્રકાશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર વસંત પટેલની જાહેર સભાના મંચ પરથી ઉભા થઇ અને આદિવાસી વિસ્તારના મતદારોને આહવાન કર્યું હતું કે જો તેઓ મોહન ડેલકરને આદિવાસી સમાજના નેતા માનતા હોય અને મોહન ડેલકરને સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય તો આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાવી અને ભાજપના દમનકારી પ્રશાસનને જડબાતોડ જવાબ આપવ માટે આહવાન કર્યું હતું.


મહત્વપૂર્ણ છે કે પ્રકાશ પટેલ (Prakash Patel) અગાઉ વલસાડ (Valsad) જિલ્લામાં ભાજપના દિગ્ગજ આગેવાન હતા તેઓ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા અને એક વખત ભાજપની ટિકિટ પરથી કપરાડા વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા હતા. જોકે ત્યાર બાદ વર્ષો સુધી રાજનીતિમાંથી સંન્યાસ લઇ લીધો હતો અને હમણાં જ યોજાયેલી કપરાડાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું. પરંતુ તેમાં તેમની હાર થઇ હતી. 

Mohan Delkar ને તસવીરી શ્રદ્ધાંજલિ, 10 તસવીરોમાં જુઓ જુસ્સો, જોશ અને પ્રજાપ્રેમ


જોકે મોહન ડેલકર (Mohan Delkar) ના આઘાતજનક આપઘાતને બે દિવસ વિત્યા છે અને આ મુદ્દો અત્યારે પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર છે. ત્યારે હવે અત્યારે વલસાડ જિલ્લામાં પણ ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે મોહન ડેલકરના આપઘાતનો મુદ્દો ચૂંટણી મુદ્દો બની રહ્યો છે અને ચુંટણીની જાહેર સભામાં મંચ ઉપરથી ડેલકરને ન્યાય અપાવવાની માંગ થઇ રહી છે. ત્યારે મોટાપોંઢામાં કોંગ્રેસની સભામાં ડેલકરના સાળાએ હાજર રહી મોહન ડેલકરના મોત માટે પ્રશાસન જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું શંકાસ્પદ નિધન, આત્મહત્યા કરી હોવાનું અનુમાન


આમ હવે વલસાાાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારના છેલ્લા દિવસોમાં ડેલકરના આપઘાતનો મુદ્દો આગામી સમયમાં મોટું રાજકીય સ્વરૂપ ધારણ કરશે તેવું લાગી રહ્યું છે. જો કે કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં મોહન ડેલકર (Mohan Delkar) ના મોતનો  મુદ્દો હવે વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube