ઝી બ્યૂરો, અમદાવાદ: રવિવારનો દિવસ મોરબીમાં માતમના સમાચાર લઈને આવ્યો. શહેરની શાન ગણાતો ઝૂલતો પુલ અસંખ્ય લોકોની મોતનું કારણ બન્યો. રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આ પુલ પર આવ્યા હતા. જોકે, પુલની ક્ષમતા કરતા વધારે લોકો પુલ પર દાખલ થતાં પુલ તૂટી પડ્યો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જોકે, આ પુલની દેખરેખ પ્રાઈવેટ કંપનીને સોંપવામાં આવી હતી. અને પુલ પર ટીકીટ લઈને લોકોએ પ્રવેશ કર્યો હતો. કંપનીની આ ગંભીર બેદરકારીને કારણે આ ઘટના બની છે. જેથી દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાની ગુજરાત સરકારે બાંયેધરી આપી છે.  
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube