હનીફ ખોખર/જૂનાગઢ: જૂનાગઢના ઉપલેટામાં પરિણીતાએ કોઈ કારણસર પોતાના એક વર્ષના પુત્રને પહેલા તો ઝેર પીવડાવી દીધુ અને ત્યારબાદ પોતે પણ ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતાં. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહેવાલ અંગે વીડિયો જોવા માટે કરો ક્લિક- ઉપલેટા: પહેલા પુત્રને ઝેર પીવડાવ્યું અને પછી પરિણીતાએ કર્યો આપઘાત


મળતી માહિતી મુજબ ઉપલેટામાં આ બનાવથી વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. વિધિસાબેન બારીયા નામની આ મહિલાએ પોતાના એક વર્ષના પુત્રને ઝેર પીવડાવ્યું અને ત્યારબાદ પોતે દવા પી લીધી. મહિલાએ આવું આઘાતજનક પગલું કયા કારણસર ભર્યું તે હજુ જાણવા મળ્યું નથી. ગંભીર હાલતમાં બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કરતા પરિજનોએ રોકકળ મચાવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.