શૈલેશ ચૌહાણ, સાબરકાંઠા: ઘર કંકાસના કારણે ન જાણે કેટલાક કુટુંબો વેરવિખેર થઈ જાય છે. આવો જ એક બનાવ ગુજરાતના સાબરકાંઠામાં જોવા મળ્યો. જ્યાં એક માતાએ બે માસૂમ ભૂલકાઓ સાથે કૂવો પૂર્યો. આ અંગે વડાલી પોલીસ સ્ટેશને બે ફરિયાદ નોંધાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર 15 હજારની પઠાણી ઉઘરાણી બની યુવકના મોતનું કારણ, સ્યુસાઈડ નોટથી થયો ચોંકાવનારો ખુલાસો


મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વડાલીના ફુદેડામાં આ બનાવ બન્યો છે. જ્યાં ઘરકંકાસના કારણે એક પરિવાર ઉજડી ગયો. ઝઘડાના પરિણામે માતાએ પોતાના બે નાના માસૂમ ભૂલકાઓ કે જેમણે હજુ તો દુનિયા પણ બરાબર જોઈ નહતી તેમને લઈને કૂવામાં પડી આપઘાત કર્યો. આ આપઘાતની ઘટના અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ છે. 


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...