અલ્કેશ રાવ/બનાસકાઠા: બનાસકાંઠા પાસે આવેલા થરાદમાંથી પસાર થઇ રહેલી નર્મદાની કેનાલ મોતની કેનાલ બની રહી છે. આ નર્મદાની મુખ્ય કેનાલ હવે લોકો માટે સુસાઇટ પોઇન્ટ બની રહી છે. આ કેનાલમાં થરાદનો એક યુવક ડૂબતા થરદ નગરપાલિકાએ તેની શોધખોળ શરૂ કરી છે. આ યુવકનો વિડિયો પણ વાયરલ થયો છે. જ્યારે ગુરૂવારે પણ આ જ કેનાલમાં એક મહિલાનું  ડૂબવાથી મોત થયું હતું. આ પ્રકારની ધટનાઓ વારંવાર બનતી હોવાથી તંત્રએ આ અંગે ચિંતિત બનવું પડશે. અને કેનાલને રેલીંગ બાનવી તેને સુરક્ષિત કરવી અનિવાર્ય બને છે.