હનીફ ખોખર/જુનાગઢ :જૂનાગઢ (Junagadh) માં પૂજ્ય મોરારીબાપુ (Morari bapu) ના હસ્તે ગુજરાતના સુપ્રસિદ્ઘ કવિ, ગઝલકાર ખલીલ ધનતેજવી (Khalil Dhantejvi) ને વર્ષ ૨૦૧૯નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરાયો હતો. તેમજ દોઢ લાખની ધનરાશિનો ચેક અને નરસિંહ મહેતા એવોર્ડ (Narsinh Mehta Award) આપી કવિનું અદકેરું સન્માન કરાયું હતું. જુનાગઢના આંગણે આદ્યશક્તિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ પ્રણિત એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. ભવનાથમાં રૂપાયતમાં શરદ પૂનમ (sharad purnima 2019) ની રાતે યોજાયેલ કાર્યક્રમમાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે, દત-દાતારના સેતુ બંધને પ્રણામ કરું છું. કોઇપણ વ્યક્તિને સમજવા માટે તેના પ્રભાવમાં આવ્યા વગર તેના સ્વભાવને ઓળખવો પડે. 


ભાલકા તીર્થ : રાજભા ગઢવીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ, નોટ ગણવા મશીન લાવવા પડ્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, 1999થી મોરારીબાપુ દ્વારા પ્રસિદ્ધ કવિ, શાયરો અને સાહિત્યારોને આ એવોર્ડ છે. આ પ્રસંગે ગુજરાતભરના પ્રસિદ્ધ સાહિત્યકારોની હાજરી રહી હતી. મોરારીબાપુ દ્વારા દર વર્ષે સાહિત્યકારો કવિઓ અને લેખકોને આ એવોર્ડ અપાય છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :