મહેસાણા: લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકારણ ચરમસીમાએ છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સંમેલન યોજવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણીને લઇને આજેથી ભાજપ દ્વાર ચાર દિવસ ગુજરાતના તમામ 26 બેઠકો પર વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી મહેસાણાથી આ વિજય સંકલ્પ સંમેલનની શરૂઆત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિનભાઇ પટેલ સહિતના ભજપના આગેવાનો ખાસ હાજર રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા


ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સંમેલન યોજવાની ભાજપે તૈયારી કરી લીધી છે. લોકસભાને લઈને જોરદાર તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાઈ છે. ભાજપા દ્વારા આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તારીખ 24થી 27 માર્ચ, 2019 દરમ્યાન ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર વિજય સંકલ્પ સંમેલનો યોજાશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તારીખ 26 માર્ચે ગાંધીનગર ખાતે યોજાનાર વિજય સંકલ્પ સંમેલનમાં હાજર રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...