પ્રેમલ ત્રિવેદી/પાટણ :પાટણમાં વસતા શ્રીમાળી સામવેદી બ્રાહ્મણો દ્વારા વર્ષ નવરાત્રિ (Navaratri) એ પરંપરાગત રીતે મડા સાતમની ઉજવણી કરવામાં આવે છે. જેમાં તેમના કુળદેવી બિન્દુક્ષણી માતાની પૂજા અર્ચના કરી લીમડાની ડાળીઓમાંથી બનાવેલ નનામી પર સમાજના સૌ કોઈ લોકો બેસી વર્ષ દરમિયાન આરોગ્ય સારું રહે તેના માટે પ્રાર્થના કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીમાળી સામવેદી બ્રાહ્મણોનું મૂળ વતન રાજસ્થાનનું ભીંનમાળ છે. જ્યાં વર્ષો પહેલા રોગચાળો અને અત્યાચારનું પ્રમાણ વધતા તેમનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બનવા પામ્યું હતું. ત્યારે બ્રાહ્મણોએ ત્યાંથી સ્થળાંતર કર્યુ હતું. તેઓ પાટણ અને ખેરાલુ આવીને વસ્યા હતા. પરંતુ સાથે જ અત્યાચાર અને રોગચાળાથી બચવા માટે નનામી બનાવીને તેના પર સુઈ જવાની પ્રથા પાડી હતી. આ સામવેદી બ્રાહ્મણોના બિન્દુક્ષણી માતાનું વાહન પણ નનામી હોવાને લઇ વર્ષોથી બ્રાહ્મણો દ્વારા દર નવરાત્રિની સાતમના દિવસે પાટણ ખાતે આવેલ બિંદુક્ષણી માતાના મંદિરે પૂજા અર્ચના કરાય છે. માતાજીના સમીપ પ્રતીક રૂપ બનાવેલ નનામી પર બેસીને પરિવારનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે પ્રાર્થના કરે છે.


આ પણ વાંચો : સાપુતારાના સનસેટ પોઈન્ટ પર જતા પહેલા સો વાર વિચારજો, કારનો વિચિત્ર અકસ્માત સર્જાયો 


શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ જ્ઞાતિના મંત્રી ચંદ્રવદનભાઈ ત્રિવેદીએ કહ્યું કે, વર્ષો થી ચાલી આવતી મડા સાતમ ની પરંપરા આજે પણ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં યથાવત છે. મોટી સંખ્યામાં કુળદેવી બિંદુક્ષણી માતાના મંદિરે ભેગા થઇ માતાજીની પૂજા અર્ચના કરે છે અને પ્રતિક રૂપે બનાવેલ નનામી પર બેસી વર્ષ દરમિયાન આરોગ્ય શરુ રહે તેના માટે માતાજીને પ્રાર્થના કરે છે.  


આદ્ય શક્તિ માં અંબાના નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે વિવિધ સમાજોમાં રહેલ પ્રથાઓ આજે પણ અક્બંદ રહેવા પામી છે. આધુનિક યુગ હોવા છતા સમાજમાં રહેલ પ્રથાઓ તેમજ કરવઠુંને લોકો શ્રદ્ધાપૂર્વક પૂરી કરે છે, ત્યારે પાટણમાં પણ આ પરંપરા શ્રીમાળી સામવેદી સમાજમાં અક્બંદ રહેવા પામી છે.