સ્નેહલ પટેલ/નવસારી: ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે સમગ્ર નવસારી જળબંબાકાર થઈ જવા પામ્યુ છે. ત્યારે નવસારીથી સુરત જતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહનવ્યહાર માટે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. નવસારીના રીંગરોડ પર પાણી ભરાવાથી તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રંગુનવાલા ખાતે આવેલ મદ્રેસાના બે બાળકો પાણીમાં ડુબી જતા એક બાળકનુ મોત નિપજ્યુ છે તો એકની હાલત ગંભીર છે.સતત ઉપરવાસમાં હજુ પણ વરસાદ ચાલુ હોવાથી નવસારીના અંબિકા,કાવેરી અને પુર્ણા નદીમાં પુર ની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. બીજી તરફ ભારે વરસાદના કારણે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં કમર સમા પાણી ભરાયા છે.


કલમ 370 દૂર થઈ શકે તો રામ મંદિર પણ સરળતાથી બની શકે: પ્રવિણ તોગડિયા


જુઓ LIVE TV:



વરસાદના કારણે અમુક વિસ્તારોમાં પહેલા માળસુધી પાણી ભરાયા છે. જેના પગલે સ્થાનિક જનજીવન અટકી ગયું છે. લોકોના ઘરોમાં પાણી ભરાઇ જતાં જરૂરિયાની ચીજવસ્તુઓ અને સરસામગ્રીને ભારે નુકસાન થયું છે. વડોદરા બાદ સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે આજે રવિવારે સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી સૌથી વધારે વલસાડના કપરાડામાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે.