ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. જો કે બીજી તરફ કોરોના હવે ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી આંકડા 14 હજારની આસપાસ આવી રહ્યા છે. તેમાં 100થી 200નો જ વધારો થઇ રહ્યો છે. જે હાલનાં દિવસોમાં જોવા મળેલા ઉછાળા કરતા પ્રમાણમાં ઓછો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આજે કુલ કોરોનાનાં 14,340 કેસ નોંધાયા હતા. જ્યારે 7727 દર્દીઓ રિકવર થયા હતા. અત્યાર સુધીમાં કેલ 3,82,426 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 75.93 ટકાએ પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 94,35,424 લોકોનું પ્રથમ ડોઝનું અને 20,19,205 લોકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,14,54,629 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. આજે 60 વર્ષથી વધારે વયના અને 45થી 60 વર્ષના કુલ 64,571 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 83,135 લોકોનાં બીજા ડોઝનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં કોઇ પણ વ્યક્તિને રસીની ગંભીર આડઅસર જોવા મળી નથી. 


રાજ્યમાં કોવિડ 19નાં 14,340 દર્દીઓ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાંથી 7727 દર્દી સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ 74.93 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,82,426 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 121461 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 412 લોકો છે. 121049 લોકો સ્ટેબલ છે. 3,82,426 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 6486 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube