અમદાવાદ : નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી દક્ષિણ ભારતીય પરિવારની દીકરી નિત્ય નંદિતા આખરે મીડિયા સામે આવી હતી. તેણે મીડિયા સામે આવીને પોતાના માતાપિતા જુઠ્ઠુ બોલતા હોવાનો આરોપ કર્યો છે. તેણે મીડિયા સામે આવીને કહ્યું કે, હું મારી મરજીથી ફરવા આવી છું, અને મારા માતાપિતા હળાહળ ખોટુ બોલી રહ્યાં છે. હું મારા પરિવારની સમસ્યાઓથી કંટાળીને ઘર છોડીને નીકળી છું. તો બીજી તરફ, નિત્ય નંદિતાએ પોતાના લોકેશનની કોઈ માહિતી આપવાની સ્પષ્ટ ના પાડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઢોંગી આશ્રમની પોલ ખોલવા બદલ યુવતીના માતાપિતાને મળી ધમકીઓ


નિત્યાનંદ આશ્રમ અને દિલ્હી પબ્લિક સ્કૂલ વચ્ચેની સાંઠગાંઠનો થયો પર્દાફાશ, જાણો


તો બીજી તરફ આશ્રમની સંચાલિક પ્રાણપ્રિયાએ મીડિયા કોન્ફરન્સમાં પોતાના ગુરુ નિત્યાનંદનો બચાવ કર્યો હતો. તેમજ નિત્ય નંદિતા ક્યાં છે તે કહેવાનો સ્પષ્ટ ના પાડી હતી. નિત્યનંદિતા ક્યાં છે તેની અમને ખબર નથી. તે પોતાની મરજીથી ફરવા ગઈ છે. અને તેને તેના માતાપિતા સાથે બનતુ નથી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube