અમદાવાદ :નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) વિવાદ મામલામાં દક્ષિણ ભારતીય પરિવારની દીકરી નિત્યનંદિતા (Nitya Nandita) એ વીડિયો કોલ દ્વારા પોલીસ તથા મીડિયાના પ્રશ્નોનો જવાબ આપ્યો હતો, પરંતુ તેણે પ્રત્યક્ષ રૂપે સામે આવવાની ના પાડી હતી. તેમજ પોતે ક્યાં છે તે જણાવવાની પણ સ્પષ્ટ ના પાડી હતી. તેણે વીડિયો કોલમાં મીડિયા (Media) ની સામે કહ્યું કે, તેના માતાપિતા જુઠ્ઠુ બોલે છે. એટલું જ નહિ, તેણે પોતાના માતાના આડા સંધંબો વિશે ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા.


જગદીશે મને સેક્સ્યુઅલી હેરેસ કર્યું હતું
વીડિયો કોન્ફરન્સમાં નિત્ય નંદિતાએ કહ્યું કે, હું માતાપિતાથી ભાગતી નથી ફરતી. મારા પિતાએ નાણાંકીય છેતરપિંડી કરી છે. હું મારા માતાપિતાથી ડરી ગઈ છું એટલે ભાગી ગઈ છું. મારી માતાનું જગદીશ નામના શખ્સ સાથે અફેર છે. જગદીશ નામના આ શખ્સે મને પણ શારીરિક રીતે પીડા આપી હતી. આ વાત મેં મારા માતાપિતાને પણ કહી હતી. જગદીશ મારી માતા સાથે લાંબા સમય રહ્યો હતો હતો, અને તે મારા પિતાને ખબર હતી. આજે પણ આ તે મારા પરિવાર સાથે રહે છે. મારી જે કઈ પરિસ્થિતિ થઈ તે મારા માતા પિતાના કારણે થઈ છે એ હું જાણું છું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube