આશ્કા જાની/ અમદાવાદ : પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો ગુજરાતમાં યોગ્ય અમલ નહીં થઈ રહ્યો હોવાની ફરિયાદ સાથે હાઇકોર્ટમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અરજી કરી છે. જે મામલે આજે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને કારણ દર્શક નોટિસ ઈશ્યુ કરી અને જવાબ રજૂ કરવા આદેશ કર્યો. આ મામલે વધુ સુનવણી 15 જાન્યુઆરી એ હાઇકોર્ટમાં હાથધરવામાં આવશે. આજે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર તાલુકાના 28 સહકારી મંડળી સાથે જોડાયેલા ખેડૂતોએ હાઇકોર્ટમાં કરેલી અરજી પર સુનવણી હાથ ધરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા સુરક્ષા અંગે મુક-બધીર બાળકોનો પક્ષ સાંભળવા માટે પોલીસની અનોખી પહેલ


જેમાં ખેડૂતો તરફથી એવી રજુઆત કરવામાં આવી કે વીમા કંપનીએ થયેલા નુકસાનના બદલામાં માત્ર સડા છ ટકા જેટલી રકમ ચૂકવામાં આવી છે. જે ખેડૂતોએ ચૂકવેલા પ્રીમિયમ ની રકમ કરતા પણ ઓછી છે. જો વેટ કરીએ સમગ્ર મામલે તો 2017-18માં ખેડૂતોને પાક વિમાનો લાભ મળ્યો નથી. ખેડૂતોની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે પાક નિષ્ફળ જાય ત્યારે યોગ્ય સર્વેના અભાવે તેમને પાક વિમાના પૈસા મળતા નથી. સર્વેના થયો હોય ત્યાં સુધી તેઓ અન્ય પાક લે તો પાક વિમો મળતો નથી. તેવી પરિસ્થિતિનો ખેડૂતો સામનો કરી રહ્યા છે. 


કમિશ્નર-કોર્પોરેટર વિવાદનો રેલો છેક ગૃહ વિભાગ સુધી પહોંચ્યો, પ્રદિપસિંહે મંગાવ્યો અહેવાલ


ભાવનગર: તળાજા નજીક બંધ પડેલા ખટારામાં બાઇક ઘુસી જતા 2નાં ઘટના સ્થળે મોત


લોન લેતી વખતે પાક વીમાના પ્રીમિયમના પૈસા તો કાપી લેવાય છે, પરંતુ પાક નિષ્ફળ જાય અને ચુકવણી કરવાની આવે ત્યારે ઇન્શ્યોરન્સ કંપની ઠાગાઠૈયા કરે છે. જે બાબતને ધ્યાને રાખીને હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર, ઇન્સ્યોરન્સ કંપની, કૃષિ વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ ઇશ્યુ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારનાં અસહ્ય દબાણ છતા પણ વીમા કંપનીઓ સરકારને ગાંઠતી નથી તેવી સ્થિતીમાં ખેડૂતોની સ્થિતી કફોડી થઇ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube