ઝી બ્યુરો/રાજકોટ: ગુજરાતમાં ફરી એક વખત તેલના ભાવમાં વધારો થયો છે. એક જ દિવસમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 50 રૂપિયા વધતાં મધ્યમવર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ ત્રણ હજાર રૂપિયાને પાર પહોંચ્યો છે. સિંગતેલનો ડબ્બો અત્યારે 2,970થી 3,020 રૂપિયામાં મળી રહ્યો છે. જ્યારે કપાસિયા અને પામોલિનમાં ડબ્બે 15 રૂપિયાનો ઘટાડો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી ભરાયા! હિંદુ દેવી-દેવતાનો મામલો પોલીસમાં પહોંચ્યો


સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. આખા જુલાઈ મહિનામાં અનેકવાર ખાદ્ય તેલના ભાવ વધ્યા. ઓગસ્ટ મહિનામાં પણ તેલના ભાવમાં ઉછાળા બાદ હલકો  ઘટાડો જોવા મળ્યો અને હવે સપ્ટેમ્બરની શરૂઆતમાં ભાવ વધારો ઝિંકાયો છે. રાજકોટના બજારમાં ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. સિંગતેલના ભાવમાં રૂ. 50 નો વધારો ઝીંકાયો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. 


નવી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં કરશે રેલમછેલ? જાણો ક્યાથી કઇ તારીખ સુધી મેઘો થશે મહેરબાન


સરકારનો તેલના ભાવ પર કોઈ અંકુશ નહિ 
તહેવારોની સીઝન આવતા જ તેલિયા રાજા બેફામ બન્યા છે. તહેવારોની સીઝન ટાંણે જ તેલના ભાવમાં વધારો ઝીંક્યો છે. સિંગતેલના ભાવમાં રૂ. 50 નો વધારો ઝીંકાયો છે. તો કપાસિયા તેલના ભાવમાં ઘટાડો કરાયો છે. નવા ભાવ મુજબ, સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 3 હજાપને પાર થયો છે. મગફળીની ઓછી આવકની સામે સિંગતેલની વધતી ડિમાન્ડ ભાવ વધારા પાછળ જવાબદાર હોવાનું વેપારીઓનું કહેયું છે. બીજી તરફ, તહેવારોમાં તેલીયારાજા ઉચા ભાવ જાળવી રાખવા સક્રિય થયા છે. સરકારનો વધતા તેલના ભાવ પર કોઈ અંકુશ નથી.


બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી ભૂલ્યા ભાન! ખોડિયાર માં પર વિવાદિત નિવેદન, વિવાદ વકર્યો 


મોંઘવારીના લીધે ગૃહિણીઓની હાલત કફોડી બની છે. ખાદ્યતેલ, શાકભાજી તેમજ કઠોળના ભાવમાં ધરખમ વધારો થયો છે. વેપારીઓ કહે છે કે, ખાદ્યતેલોમાં ભાવ વધારા માટે સટ્ટાખોરી જવાબદાર છે. ખાદ્યતેલોના ભાવ ઉંચા રહેતા સીંગદાણા અને મગફળીના ભાવ પણ ઉંચે ગયા છે. જુન માસમાં મુખ્ય અને સાઈડ તેલ બંનેમાં તેજી જળવાયેલી હીત, પરંતુ જુલાઈ આવતા જ ભાવ આસમાને ગયા છે. સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ આગઝરતી તેજી જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવુ છે કે, ભાવવધારા માટે સટ્ટાખોરી જવાબદાર છે. 


અંબાજી: યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરી દેવાયા, 20 કિ.મી એરિયામાં દુર્ઘટના બને તો