ભરત ચૂડાસમા, ભરૂચ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ભરૂચ શહેરના ફાટાતળાવ વિસ્તારમાં એક મકાન ધરાશયી થયું હોવાના અહેવાલ છે. આ મકાન ધરાશયી થયું તેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે.


મળતી માહિતી મુજબ ફાટાતળાવમાં ઘરાશયી થયેલી ઈમારતમાં હાલ એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. એક વ્યક્તિ પોતે જાતે કાટમાળમાંથી જીવ બચાવીને બહાર આવી ગયો. જ્યારે 5 લોકોને રેસ્ક્યુ ઓપરેશન કરીને બહાર  કાઢવામાં આવ્યાં. 4 લોકો હાલ સારવાર હેઠળ છે.