Surat News સુરત : સ્માર્ટ સિટી સુરત શહેરમાં હચમચાવી દેતી ઘટના બની છે. સુરતના જહાગીરપુરામાં એક જ પરિવારના 4 લોકો રાત્રે સૂતા બાદ ઊઠ્યા નહીં. સવારે પરિવારના ચાર સભ્યોના મૃતદેહો ઘરમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સુરત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. હાલ તપાસ શરૂ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના રાતે સૂતા બાદ શંકાસ્પદ મોત થયા હોવાનું સામે આવ્યું છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આ ઘટના બની છે. જોકે, મોત પાછળનું સાચુ કારણ હજુ બહાર નથી આવ્યું. પરંતું ફૂડ પોઈઝનિંગની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. હાલ સમગ્ર મામલે સુરત પોલીસ તપાસ કરી રહી છે.


 


ગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા પહેલા ચેતજો, ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવાના શરૂ