Plastic Cup Ban સપના શર્મા/અમદાવાદ : અમદાવાદમાં પ્લાસ્ટિકના કપમાં ચા પીરસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આ અંગે અનેક મતમતાંતર જોવા મળતા આખરે નિર્ણય લેવાયો કે પેપર કપ વાપરતા વિક્રેતાઓ ઉપર આજથી દંડાત્મક અથવા સીલની કામગીરી નહીં થાય. પરંતું આ વચ્ચે શાસક પક્ષમાં તાલમેલનો અભાવ જોવા મળ્યો. અમદાવાદમાં ચાના પેપર કપના નિર્ણયથી ખુદ મેયર અજાણ હોવાનુ સામે આવ્યો છે. આજથી અમલ થનાર નિર્ણય અંગે લેખિત પરિપત્ર નહીં, મ્યુનિસિપલ કમિશનરે માત્ર મૌખિક આદેશ જ આપ્યો છે. ત્યારે સત્તાની આ શું રમત ચાલી રહી છે તે સમજાતુ નથી. તેમજ હવે મ્યુનિસિપલ કમિશનર જાપાનથી આવ્યા બાદ નિર્ણય લેવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ચાના પેપર કપના નિર્ણયથી ખુદ મેયર અજાણ છે. આજથી અમલ થનાર નિર્ણય અંગે લેખિત પરિપત્ર નહીં, મ્યુનિસિપલ કમિશનરે માત્ર મૌખિક આદેશ જ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પેપર કપ બેન અંગે AMCમાં થયેલા વિવાદનો મામલે વેપારીઓ પર આજથી દંડાત્મક કે સીલની કાર્યવાહી નહીં થાય તેવુ નિર્ણય લેવાયો છે. આજે સોલિડ વેસ્ટની ટીમ વેપારીઓને સમજાવવાનો પ્રયાસ કરશે. કમિશનરના જાપાનથી આવ્યા પછી નિર્ણય લેવામાં આવશે. 


આ પણ વાંચો : 


મોદી કર્મચારીઓને આપી શકે છે મોટી ખુશખબરી, PMO લેશે અંતિમ નિર્ણય


અ'વાદમાં ચાના પેપર કપ પર પ્રતિબંધ મુદ્દે BJPના હોદ્દેદારો અને મનપા કમિશનર આમને-સામને


મહત્વનું છે કે અગાઉ 20 જાન્યુઆરીથી પેપર કપના ઉપયોગ વિના સદંતર બંધની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જાણ બહાર નિર્ણય થયો હોવાથી વિવાદ સર્જાયો છે. જેના કારણે મ્યુનિસિપલ કમિશનર જાપાનથી પાછા આવશે તેના પછી પેપર કપનો ઉપયોગ કરવો કે ન કરવો તે અંગે નિર્ણય લેવામાં આવશે.  


અનોખો આઇડીયા! ચા રસિકો હવે વેફર કપમાં માણી શકશે ચાની મજા, 3 ફ્લેવરના કપને ખાઇ શકાશે