મુનવર ખાન/ સુરેન્દ્રનગર: પાટડીમાં અલગ અલગ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ થયાની ઘટના સામે આવી છે. આ જૂથ અથડામણમાં 5 વ્યક્તિઓને ઇજા થઇ હોવાની માહિતી મળી રહી છે. અથડામણની ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં તંગદીલી ભર્યો માહોલ સર્જાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાથમિક તપાસમાં જણાવા મળ્યું છે કે, પાટડીમાં અગાઉ થયેલા ઝગડાનું મનદુ:ખને લઇ બે જૂથ બાખડ્યા હતા. નજીવી બાબતે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા બે જૂથ એક-બીજાની સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં અંદાજે 5થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


આ સમગ્ર મામલાની જાણ થતા પોલિસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને તોફાનીઓને વેર વિખેર કરી ગાયત્રી મંદિર વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.