Vadodara News વડોદરા : વડોદરાના ડભોઈ ખાતે પાટીદાર સમાજના સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. આ સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખે બળાપો ઠાલવ્યો હતો. સતીષ પટેલે પાટીદાર સમાજના સંમેલનમાં સમાજ પ્રત્યે નારાજગી વ્યકત કરતા કહ્યું હતું કે, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા. ગામમાંથી કોઈ આગળ જતું હોય તો ગામે અને લોકોએ સાથ આપવો જોઈએ. આપણા પાટીદાર સમાજમાં ટાંટિયા ખેંચવાની જે પધ્ધતિ છે, તેમાંથી બહાર આવવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર સમાજમાં એકતા લાવવો એ આ સંમેલનનો હેતુ હતુ. જેમાં જય સરદારના નારા સાથે સંમેલનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં પાટીદાર અગ્રણીઓ દ્વારા સમાજના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સંમેલનમાં સમાજમાં જાગૃતિ લાવવા માટે જય પાટીદાર જય સરદારના નારા સાથે વિવિધ મહાનુભવોએ વક્તવ્ય આપ્યા હતા. જેમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ વિકાસ અને પ્રગતિ માટે સમાજલક્ષી પ્રગતિની દિશાઓ અંગે પ્રેરણા આપવામાં આવી હતી.


વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ


 


વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ