ગુજરાત : ભારતીય વાયુસેનાએ પાક અધિકૃત કાશ્મીરમાં સર્જીકલ સ્ટ્રાઈક-2 કરીને એક તરફ પાકિસ્તાનને જવાબ આપ્યો છે, તો બીજી તરફ દેશના લોકોનો ઉત્સાહ પણ વધાર્યો છે. પાકિસ્તાની આતંકવાદી છાવણીઓ પર હુમલાથી દેશભરના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. લોકોએ સોશિયલ મીડિયા પર વાયુસેનાની બહાદુરીના વખાણ કર્યા હતા. તો બીજી તરફ, લોકોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યાનો સંતોષ પણ વ્યક્ત કર્યો છે. આવામાં ગુજરાતના લોકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી. આ ખુશીને પગલે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ફટાકડાં ફોડી ભારતીય સૈનિકોને અભિનંદન આપવામાં આવ્યું છે. 


વાયુસેનાએ બતાવેલી એર સર્જિકલ સ્ટ્રાઈક-2ની બહાદુરીના સમાચાર વાંચો એક ક્લિક પર...