હેમલ ભટ્ટ, ગીર સોમનાથ: ગીર સોમનાથના પ્રભાસતીર્થમાં હોળીના તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવે છે. હોલીકાના પાગટ્ય સમયે મોટા અવાજે બોલાવામાં આવે છે અપશબ્દો... પરંતુ વાસ્તવમાં આ ઉચ્ચારણો અપશબ્દો નહીં પરંતુ સંસ્કૃત ભાષાના આ ઉચ્ચારણો છે જેના દ્વારા ભગવાન ભેરવનાથને આવનારો સમય સારો રહે તેની પ્રાર્થના સકરવામાં આવે છે. ઉપરાંત આ વર્ષે હોલીકા ઉત્સવ દરમિયાન ફંડ એકઠું કરી શહીદોના પરિવારો માટે અર્પણ કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: શ્રદ્ધાની હોળીને આસ્થાના અંગારા: હોલીકા દહન બાદ ખુલ્લા પગે અંગારા પર ચાલે છે આ ગામના લોકો


ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી ઉપલબ્ધી તેના તહેવારો છે. વિશ્વના બધા જ દેશો કરતા સૌથી વધુ વિવિધતાસભર તહેવાર ભારતમાં જ ઊજવવામાં આવે છે. એટલું જ નહીં વિવિધતાની ચરમસીમા એ છે કે જેટલા પ્રાંત છે તેટલી જુદી જુદી રીતે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. દરેક તહેવારની પાછળ એક હેતુ છુપાયેલો હોય છે. અને આવો જ કંઇક અનોખી હોળીનો તહેવાર ગીર સોમનાથના પ્રભાસપાટણમાં ઉજવવામાં આવે છે.


કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની આ 5 બેઠકના ઉમેદવારો કર્યા નક્કી


પ્રભાસતીર્થના રામરાખ ચોકમાં આદિ અનાદિ કાળથી ઉજવાતા આ અનોખા હોલિકા ઉત્સવમાં આ વર્ષે હોલિકા ઉત્સવમાં પુલવામાં શહીદ થયેલા જવાનોના પરિવાર માટે ભંડોળ એકઠું કરી આધ્યાત્મિકતાની સાથે દેશભક્તિનું પણ ઉમદા ઉદાહરણ જોવા મળ્યું હતું.


વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: રાહુલગાંધી 27માર્ચે આવશે ગુજરાતની મુલાકાતે


ભારત અને ગુજરાતભરમાં હોળીનો તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. જેમાં ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે હજારો અનાદીકાળથી ઉજવાતો આ અનોખા પ્રકારનો હોળીનો તહેવાર ભારતભરમાં કદાચ ક્યાંય ઉજવાતો નહીં હોય. આ ઉત્સવમાં પ્રભાસપાટણના સર્વે નગરજનો ઉલ્લાસભેર જોડાય છે. તેમજ પ્રભાસપાટણની અન્ય જુદા જુદા વિસ્તારોમાં થતાં હોલીકા ઉત્સવની જ્યોત પર રામરાખના હોલીકા ઉત્સવમાંથી લઇને જ હોલીકા દહન કરવામાં આવે છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...