સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે એક કાર ચાલકે ત્રણથી વધુ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિની હાલત વધું ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે અકસ્માતની ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ કાર પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી અને કાર ચાલકને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી દીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સુરતમાં છાશ ઢોળાઇ જવાની નાની બાબતમાં મોટા ભાઇએ નાના ભાઇને રહેંસી નાખ્યો


સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આવિર્ભાવ સોસાયટી નજીક એક કાર ચાલકે દારૂના નશામાં ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે ત્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જણાવી રહ્યાં છે. કાર ચાલેક ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતા આસપાસના લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને રસ્તા પર ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત લોકોને 108ની મદદથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...