Gandhingar : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવવાના છે. સવારે 10 વાગ્યે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. આજે પીએમ મોદીના ગાંધીનગરમાં 3 કાર્યક્રમો છે. સૌથી પહેલાં તેઓ ગાંધીનગરના નિજાનંદ ફાર્મમાં આયોજિત પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે. આ કાર્યક્રમ બાદ પીએમ મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહેશે અને રાજ્યમાં 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પીએમ મોદી રાજભવન જશે. બપોરે રાજભવનમાં સરકાર અને સંગઠનના હોદ્દેદારો સાથેની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. આ બેઠક બાદ પીએમ મોદી બપોરે 3 વાગ્યે ગિફ્ટ સિટીમાં વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરવાના છે. અહીં જ તેઓ વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે પણ બેઠક કરવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદની પ્રધાનમંત્રીની આ બેઠક ખાસ બની રહેવાની છે. કારણ કે, હવે ભાજપે લોકસભાની તૈયારીઓ આરંભી દીધી છે. આજે રાજભવનમાં વડાપ્રધાનની બેઠકોનો દોર ચાલશે. જેમાં મંત્રી મંડળના વિસ્તરણ તથા બોર્ડ નિગમોમાં નિમણૂંકને લઈને આખરી ઓપ આપવામાં આવી શકે છે. પ્રધાનમંત્રીની આ ગુજરાત મુલાકાત ખાસ ગણવામાં આવી રહી છે. કારણ કે, તેઓ પાર્ટીના કેટલાક નેતાઓ સાથે મહત્વની બેઠક કરવાના છે. ત્યારે પીએમની મુલાકાત બાદ ભાજપમાં નવાજૂની થઈ શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. 


પોળોના જંગલમાં ફરવા ઉપડ્યા ને આ ભૂલ કરી તો ભારે પડશે, અહી પ્રવેશવાના છે નિયમો


હાલ ગુજરાત ભાજપમાં સંગઠનને લઈને કેટલાક બદલાવો થવાના છે તેવી ચર્ચા છે. ત્યારે આ મામલે હાલ પક્ષમાં સળવળાટ થી રહ્યો છે. ત્યારે ગુજરાતની મુલાકાતમાં પ્રધાનમંત્રી કેટલાક નેતાઓ સાથે બેઠકો કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. પીએમ મોદીની મુલાકાત બાદ બોર્ડ નિગમમાં નિયુક્તિ થાય તેવી ગણતરી મંડાઈ રહી છે. કારણે ગુજરાત સરકારમાં બોર્ડ નિગમમાં નિમણૂંક લાંબા સમયથી અટકેલી છે. ત્યારે આ જાહેરાત થાય તેવી શક્યતા છે. 


જોકે, બીજી તરફ મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની પણ ચર્ચા થાય તેવુ પણ કેટલાકનું માનવું છે. હાલ મંત્રીમંડળનં કદ 17 સભ્યોનું છે. તેનું કદ પણ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. કારણ કે, હાલ મંત્રીમંડળમાં 16 મંત્રીઓનો સમાવેશ કરાયો છે. આ તમામ પાસે વધારાના વિભાગનો ચાર્જ છે. જેનાથી તેમના પર કામનું ભારણ પણ વધારે છે. છેલ્લા કેટલાક સમયથી મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા અટકી પડી છે. હવે તો કર્ણાટકની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે,. ત્યારે હવે પીએમ મોદી આ વિશે નિર્ણય લે તેવી શક્યતા વધુ છે. 


આકરી ગરમીથી ક્યારે મુક્તિ મળશે, અંબાલાલ પટેલની આ આગાહી ખુશ કરી દેશે


અગાઉ જ્યારે માર્ચ મહિનામાં પીએમ મોદી ગુજરાતના મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓએ પોતાનું રોકાણ ચાર કલાક લંબાવ્યુ હતું. આ દરમિયાતેઓે ભાજપના નેતાઓ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગુપ્ત મીટિંગ કરી હતી. જેમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠકોનો દોર ચાલ્યો હતો. આ બાદ સંગઠનમાં નાના મોટા બદલાવ આવ્યા હતા. તેમજ સરકારની કાર્યશૈલીમાં પણ બદલાવ આવ્યો હતો. ત્યારે ફરી એકવાર પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને મોટા બદલાવ આવે તેવુ દેખાઈ રહ્યું છે. 


તો સાથે જ ભાજપ સંગઠનમાં સીઆર પાટીલની ત્રણ વર્ષની ટર્મ જુલાઈ મહિનામાં પૂરી થઈ રહી છે. ત્યારે તેમની ટર્મમાં વધારા માટે પણ ચર્ચા થવાની શક્યતા છે. 


વતનની વાટે પ્રધાનમંત્રી : પીએમ મોદી આજે ગુજરાતને કેવા કેવા પ્રોજેક્ટની ભેટ આપશે જુઓ