PM Modi favorite : તમને ખબર જ હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકવાર મન કી બાત કાર્યક્રમમાં એક એવા ફળનો ઉલ્લેખ કર્યો હતો, જેના અનેક ફાયદા છે. આ ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ ફળનું નામ બેડૂ અથવા હિમાલયન અંજીર છે. અંજીરમાં ખનિજ અને વિટામિન ભરપૂર માત્રામાં મળી આવે છે. આ ફળનો ઉપયોગ ઘણા રોગોના ઉપચારમાં કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંજીર ખનિજો, વિટામિન એ, બી1, બી2 અને સી, આહાર ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, જરૂરી એમીનો એસિડ સાથે-સાથે ફેનોલિક પદાર્થોનું એક ઉત્કૃટ સ્ત્રોત છે. આ પોતાના સ્વાદ, રંગ અને સુગંધના કારણે ઘણી સંવેદી સ્વિકાર્યતા જોવા મળે છે. 


અંજીર પાચન સંબંધિત રોગોમાં પણ ખૂબ ફાયદાકારક હોય છે. ગેસ,  IBS, ઉબકા, ફૂડ પોઇઝનિંગ, ગેસ, સોજો, જીઇઆરડી અને ઝાડા, ગેસ્ટ્રોઇંટેસ્ટિનલ ડિસઓર્ડરના સામાન્ય ઉદાહરણ છે. ઘણા કારણોથી જીઆઇ પથ અને તેની ગતિશીલતામાં અડચણ પેદા કરે છે. આ મુખ્યરૂપથી ફાઇબરમાં ઓછો આહાર ખાવાના લીધે થાય છે. એવામાં અંજીર ખાવા ફાયદાકારક થઇ શકે છે. કારણ કે આ ડાયટ્રી ફાઇબરનો સારો સ્ત્રોત છે.   


કેન્સર એક ઘાતક બિમારી છે. તેમાં સારવાર સાથે ખાણીપીણી પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. અંજીરનું સેવન કેન્સરથી બચાવવામાં મદદરૂપ થાય છે. આ બ્રેસ્ટ કેન્સરના ખતરાને ઓછું કરવામાં સક્ષમ હોય છે. અંજીરનું સેવન હાર્ટ માટે ખૂબ સારું હોય છે. આ ઉચ્ચ ધનત્વવાળા લિપોપ્રોટીનમાં વધારો કરવાનું કામ કરે છે. 


બ્લડમાં શુગરની માત્રા ઓછી હોવી હાઇપોગ્લાઇસીમિયા કહેવાય છે. આ સમસ્યા મોટાભાગે ડાયાબિટીઝના દર્દીઓમાં તેની સારવારના કારણે થાય છે, જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમને આ સમસ્યા ના બરાબર હોય છે, એવામાં તમારું બ્લડ શુગર ઓછું રહે છે તો અંજીરનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે. 


જો તમે કોલેસ્ટ્રોલ લેવલ હાઇ છે તો અંજીરનું સેવન તમારા માટે ફાયદાકારક હોય છે. જોકે તેમાં હાઇપોલિપિડેમિક પ્રભાવ જોવા મળે છે. ટ્રાઇગ્લિસરાઇડ નામની લિપિડ સીરમ સ્તરમાં ઘટાડો અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરી શકે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેમાં અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી. )