ગાંધીનગર :ગાંધીનગરમાં આજથી ત્રિદિવસીય ગ્લોબલ પોટેટો કોન્ક્લેવ (Potato Conclave)નું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્વિક બેટેકા સંમેલનમાં દેશના વડાપ્રધાન પીએમ મોદી (Narendra Modi)એ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. 28 થી 31 સુધી આ કોન્ક્લોવ ચાલશે. જેમાં, ખેડૂતો, વૈજ્ઞાનિકો વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો બટાકાની જાણકારી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારતના તમામ ઘરોમાં ગુજરાતના બટાકાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં બટાકાના ઉત્પાદનમાં 150 ટકાનો વધારો વધારો થશે.  ગુજરાત દેશમાં બટાટાના મોટા કેન્દ્ર તરીકે ઉભર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેવાઈ-વેવાણનુ ઈલુઈલુ લાંબુ ન ટક્યું, માત્ર 70 હજાર રૂપિયા લઈને ઘરથી ભાગ્યા હતા


પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ખેડૂતોને કહ્યું કે, પોટેટો કોન્ક્લેવ પ્રથમ વખત દિલ્હીની બહાર યોજાઈ રહી છે, ગુજરાતમાં આ કાર્યકમ થવાનું મહત્વ એટલે છે કે ગુજરાત બટાકાનું ઉત્પાદન કરનારું પ્રથમ રાજ્ય છે, છેલ્લા બે દશકમાં ગુજરાત બટાકાનું ઉત્પાદનનું નંબર વન હબ બન્યું છે, ગુજરાતમાં 117 પ્રતિ ઉત્પાદન વધ્યું છે. છેલ્લા બે દશકમાં પોલિસી નિર્ણય સહિત સિંચાઈ માટેની યોગ્ય સુવિધા જોવા મળી રહી છે. ગુજરાતમાં બટાકાના સ્ટોરેજ માટે આધુનિક વ્યવસ્થા છે. સુજલામ સુફલામ સહિત સૌની યોજના અને સરદાર સરોવરના માધ્યમથી ગુજરાતના તમામ ખૂણે પાણી પહોંચી રહ્યું છે. ગુજરાતમાં બટાકાનો ઉત્પાદન દર 117% વધ્યો છે. ગુજરાતમા દુકાળગ્રસ્ત રહેતા વિસ્તારમાં આજે સિંચાઈ થાય છે. નર્મદાનું પાણી નહેરોના માધ્યમથી પહોંચે છે. સિંચાઈ માટે પણ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવાય છે. ટપક સિંચાઈ અને ફુવારા પદ્ઘતિનો ઉપયોગ થાય છે. ખેડૂતોને આવક બમણી કરવા આપણે ઘણુ બધુ કરી રહ્યા છીએ. 


ચીનમાં ફસાયેલા 17 વિદ્યાર્થીઓને હેમખેમ બચાવી લેવાયા, વડનગરના ભાઈ-બહેનનું જીવન હજી પણ જોખમમાં


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક