પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ યથાવત, 23 ઓગસ્ટે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ
PM મોદીના પ્રવાસને લઇને સોમવારે CM રૂપાણીની અધ્યક્ષતામાં મુખ્ય સચિવ જે.એન.સિંહ સહિતના અધિકારીઓની બેઠક યોજાશે.
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ યથાવત રાખવામાં આવ્યો છે. 23 ઓગસ્ટે PM મોદી ગુજરાત પ્રવાસે આવશે. PM મોદીના પ્રવાસને લઇને સોમવારે CM રૂપાણીની અધ્યક્ષતામાં મુખ્ય સચિવ જે.એન.સિંહ સહિતના અધિકારીઓની બેઠક યોજાશે. મહત્વનું છે કે, પૂર્વ વડાપ્રધાન અટલજીના નિધન બાદ એહવાલ હતાં કે, PM મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરાયો છે. જો કે, હવે PM મોદીનો પ્રવાસ રાબેતા મુજબ રહેશે. જે અંતર્ગત 23 ઓગસ્ટ અને ગુરૂવારના રોજ પીએમ મોદીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે. વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
શું છે વલસાડમાં કાર્યક્રમ
વલસાડ કલેક્ટર સી આર ખરસાનાએ જણાવ્યું હતું કે અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા કાર્યક્રમ અનુસાર વલસાડમાં એક કાર્યક્રમમાં મોદી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા બે લાખ ઘરોના લાભાર્થીઓને સમર્પિત કરશે. ત્યારબાદ આ સ્થળે એક પાવર સપ્લાય યોજના માટે ભૂમિ પૂજન કરશે. આ પ્રોજેક્ટ ધરમપુર અને કરપડા તાલુકાના લોકો માટે છે.
તેમણે જણાવ્યું એ નરેન્દ્ર મોદી વલસાડમાં એક સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ તે ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની એક નવી હોસ્પિટલ સહિત સૌરાષ્ટ્ર ક્ષેત્રના જૂનાગઢમાં કેટલાક નવા પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે.
જૂનાગઢનો કાર્યક્રમ
એક અધિકારીએ જણાવ્યું હતું કે મોદી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં મત્સ્ય વિજ્ઞાનની બે કોલેજોનું ઉદઘાટન કરશે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન જૂનાગઢ નજીક પોલીસ ટ્રેનિંગ કોલેજ મેદાનમાં એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરશે. ત્યારબાદ સાંજે મોદી ગુજરાત ફોરેંસિક સાયન્સ યૂનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બાદ તેઓ દિલ્હી પરત ફરે તેવી સંભાવના છે.